SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તથા શ્રી વિનયવિજયજી વગેરે અન્ય સાધુઓ સહિત કાશી તરફ વિહાર કર્યો. ધનજી સૂરાએ ખર્ચ માટે હુંડી લખી આપી, જે કાશી મોકલવામાં આવી. શ્રી નયવિજયજી પોતાના મુનિવૃન્દ સાથે વિહાર કરીને ઉત્તર પ્રદેશમાં પહોંચી ગયા. ગંગાતટે સરસ્વતીદેવીની આરાધના પૂર્વસૂરિઓની પરંપરાનુસાર શ્રી યશોવિજયજીએ પણ તપ-જપના અનુષ્ઠાન સહિત માતા શારદાદેવીની આરાધના કરવાનું નક્કી કર્યું હતું. કાશી તરફ એમણે પોતાના ગુરુમહારાજ સાથે જ્યારે વિહાર કર્યો ત્યારે ઉત્તરપ્રદેશમાં કાશી પહોંચતાં પહેલાં ગંગા નદીનાં દર્શન થયાં. કાશી પહોંચીને પોતે વિદ્યાભ્યાસ શરૂ કરે તે પહેલાં એમણે ભાગીરથી ગંગામૈયાના તટે માતા સરસ્વતીદેવીને પ્રસન્ન કરવા જપસાધના શરૂ કરી હતી. શ્રુતદેવતાની આરાધના માટે શ્રી યશોવિજયજીનો પ્રિય મંત્ર હતો જે નમ: I ગંગાતટે આસનબદ્ધ થઈ તેમણે તપશ્ચર્યાપૂર્વક એકચિત્તે આ મંત્રનું રટણ કર્યા કર્યું હતું. એથી પ્રસન્ન થઈ સરસ્વતીદેવીએ એમને તર્કમાં (વાદવિદ્યામાં) અને કાવ્યમાં સિદ્ધિ મળે એવું વરદાન આપ્યું હતું. પોતાના જંબૂસ્વામી રાસ'માં આરંભમાં જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી આ ઘટનાનો નિર્દેશ કરતાં લખે છે : સારદ સાર દયા કરો, આપો વચન સુરંગ; તૂ તૂઠી મુજ ઉપરિ, જાપ કરત ઉપગંગ. તર્ક-કાવ્યનો તઈં તદા, દીધો વર અભિરામ; ભાષા પણિ કરિ કલ્પતરુ-શાખા સમ પરિણામ. અનુક્રમે આગળ વધતા શ્રી નયવિજયજી પોતાના મુનિઓ સાથે વારાણસી-કાશી પહોંચી ગયા. ઘણો કઠિન વિહાર પૂરો થયો અને વારાણસી જવાનું તેમનું સ્વપ્ન પાર પડ્યું. વારાણસીમાં તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં જઈ સ્તુતિ કરી. કાશીમાં ત્યારે ષદર્શનના સર્વોચ્ચ પંડિત અને નન્યાયના પ્રકાંડ જ્ઞાતા એવા એક ભટ્ટાચાર્ય હતા. એમની પાસે કહેવાય છે કે તે સમયે સાતસો શિષ્યો દર્શનોનો 24 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy