________________
અભ્યાસ કરતા હતા. તેમની પાસે ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈશેષિક ઇત્યાદિ દર્શનોના અભ્યાસ કરવામાં આઠ-દસ વર્ષ લાગતાં. પરંતુ શ્રી યશોવિજયજીએ ઉત્સાહપૂર્વક ત્રણ વર્ષમાં સર્વ દર્શનોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી લીધો. ભટ્ટાચાર્યને વિદ્યાભ્યાસ કરાવવા માટે તેમના તરફથી રોજ એક રૂપિયો આપવામાં આવતો.
પોતાના વિદ્યાગુરુ ભટ્ટાચાર્ય પાસે નવ્ય ન્યાયના કઠિન વિષયના તત્ત્વચિંતામણિ” નામના દુર્બોધ ગ્રંથનો અભ્યાસ શ્રી યશોવિજયજીએ ઘણી સારી રીતે કરી લીધો હતો.
એ દિવસોમાં કાશીની જેમ કાશ્મીર પણ વિદ્યાનું મોટું ધામ ગણાતું. કાશ્મીરી પંડિતો પણ વાદવિદ્યામાં ઘણા બાહોશ ગણાતા. તેઓ ભારતના વિદ્યાધામોમાં જતા અને વાદવિવાદ કરતા. એક દિવસ કાશ્મીરથી એક સંન્યાસી વાદી કાશીમાં આવ્યો હતો. તે ઘણે સ્થળે વાદમાં વિજય મેળવીને આવ્યો હતો. એની વિજયપતાકાઓ પરથી એ જણાતું હતું. તે કાશીમાં શેરીએ શેરીએ ફરીને વાદ માટે ઘોષણા કરતો હતો, પરંતુ એ સમર્થ પંડિતને કોઈ પડકારતું નહોતું. એ પરિસ્થિતિ જોઈને ભટ્ટાચાર્યને લાગ્યું કે કાશીમાં આટલા બધા પોતાના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો કોઈ પડકાર નહિ ઝીલે તો કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થશે. ઘણા પંડિતો પાસે જ્ઞાન ઘણું હોય, પણ વાદ કરવામાં તેઓ સમર્થ ન હોય, કારણ કે વાદમાં પાંડિત્ય ઉપરાંત સ્મૃતિ, તર્કશક્તિ, વાદીની શબ્દ કે અર્થની ભૂલ તરત પકડવાની સૂઝ, વાદીને મુંઝવવાની શાબ્દિક યુક્તિ-પ્રયુક્તિઓ, પ્રત્યુપન્નમતિ વગેરેની આવશ્યકતા રહે. કાશીની પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે ભટ્ટાચાર્યના શિષ્યોમાંથી યુવાન શિષ્ય શ્રી યશોવિજયજીએ તે માટે પોતાની તૈયારી બતાવી. તેથી ભટ્ટાચાર્યને બહુ આનંદ થયો. તેમણે એ માટે શ્રી યશોવિજયને આશીર્વાદ આપ્યા.
કાશ્મીરી સંન્યાસી પંડિત સાથે વાદસભા યોજાઈ. કાશ્મીરી પંડિતને લાગતું હતું કે, “આ જુવાન છોકરો તે વળી પોતાની સાથે કેટલો સમય વાદ કરી શકશે ?' આવા છોકરડાને તો ઘડીકમાં હરાવી દેવાશે.' સભા શરૂ થતાં પંડિતે પોતાનો
25
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org