________________
માતા સોભાગદેએ પુત્ર સાથે ઉલ્લાસથી તે સાધુપુરુષના ચરણોમાં વંદન કર્યું. સદ્ગુરુના ધર્મોપદેશથી જશવંતકુમારને વૈરાગ્યનો ભાવ થયો. અણહિલપુર પાટણમાં જઈને તે જ ગુરુ પાસે જશવંતકુમારે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી જશવિજય (શ્રી યશોવિજય) રાખવામાં આવ્યું.
વળી, સોભાગદેના બીજા પુત્ર (મોટા પુત્ર) પાસિંહે પણ દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી પદ્મવિજય રાખવામાં આવ્યું. આ બંને મુનિઓને સં. ૧૬૮૮માં તપાગચ્છના આચાર્ય શ્રી વિજયદેવસૂરિના હસ્તે વડી દીક્ષા આપવામાં આવી હતી. સુજસવેલી ભાસ'માં લખ્યું છેઃ
“અણહિલપુર પાટણ જઈજી, ભૂઈ ગુરુ પાસે ચરિત્ર; યશોવિજય એવી કરીજી, થાપના નામની તત્ર. પદમસિંહ બીજો વલીજી, તસ બાંધવ ગુણવંત; તેહ પ્રસંગે પ્રેરિયોજી, તે પણ થયો વ્રતવંત, વિજયદેવ ગુરુ હાથનીજી, વડી દીક્ષા હુઈ ખાસ;
બહું તે સોલ અઠિયાસિયૅજી કરતાં યોગ અભ્યાસ.” અહીં ભાસકારે યશોવિજયજીના જન્મસ્થળનો નિર્દેશ કર્યો નથી. પરંતુ શ્રી નયવિજયજી ગુરુના સૌપ્રથમ દર્શન શ્રી યશોવિજયજીને કનોડુંમાં થયાં હતાં, અને તે સમયે તેમનાં માતાપિતા કનોડુંમાં રહેતા હતાં એ હકીકત સુનિશ્ચિત છે. સંભવ છે કે શ્રી યશોવિજયનો જન્મ કનોડુંમાં થયો હોય અને તેમનું બાળપણ પણ કનોડુંમાં જ વીત્યું હોય. જ્યાં સુધી એમના જન્મસ્થળ વિષે અન્ય કોઈ પ્રમાણો ન મળે ત્યાં સુધી એમની જન્મભૂમિ કનોડું (કનોડા) હતી એમ માનવામાં ખાસ કંઈ બાધ નથી. કનોડા ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી પાટણને રસ્તે ધીણોજ ગામથી ચારેક માઈલને અંતરે આવેલું છે. બાળપણ વિશે દંતકથા શ્રી યશોવિજયજી મહારાજના બાળપણ વિશે આપણને વિશેષ કાંઈ માહિતી
21
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org