________________
તે પ્રમાણે ગણતરી કરીએ તો તેમનું આયુષ્ય ૬૪-૬૫ વર્ષનું હશે એમ માનવું પડે.
આમ ચિત્રપટ પ્રમાણે સં. ૧૬૪૫-૪૬ની આસપાસ તેમનો જન્મ થયો હોવો જોઈએ અને સુજસવેલી ભાસ' પ્રમાણે સં. ૧૬૭૯-૮૦માં થયો હોવો જોઈએ. આ બંને પ્રમાણોમાંથી કયા પ્રમાણને આપણે વધારે આધારભૂત માનવું ? ચિત્રપટની બાબતમાં તો નિશ્ચિત જ છે કે ગુરુ શ્રી નવિજયજીના હાથે તેયાર થયેલી મૂળ વસ્તુ જ આપણને મળે છે. (એ કાળે શ્રી નવિજયજી અને શ્રી જશવિજયજી એ બીજા કોઈ ગુરુ-શિષ્ય હોય એવી કોઈ જાણકારી મળે તો વધુ પ્રકાશ પડે.) “સુજસવેલી ભાસ'ની હસ્તપ્રતિ તે કર્તાના હસ્તાક્ષરની નહિ, પણ પાછળથી લખાયેલી છે. સંભવ છે કે પાછળથી થયેલી એની નકલમાં એક યા બીજા કારણે દીક્ષા ની સાલ લખવામાં કંઈ ભૂલ થઈ હોય. વળી ‘સુજસવેલી ભાસ'ના રચયિતા શ્રી યશોવિજયજીના સમકાલીન હતા અને હસ્તપ્રતિ તો ત્યાર પછીની મળે છે, જ્યારે શ્રી નયવિજય ગણિ તો શ્રી યશોવિજયજીના ગુરુ હતા. એટલે આ દૃષ્ટિએ જોતાં પણ ચિત્રપટ વધારે વિશ્વસનીય ગણાય. વળી શ્રી યશોવિજયજીએ જે વિપુલ સાહિત્યની રચના કરી છે તથા જે શાસ્ત્રગ્રંથોનો અભ્યાસ કર્યો છે તે જોતાં તેટલું કાર્ય કરવા માટે ૬૩-૬૪ વર્ષનું આયુષ્ય કદાચ ઓછું પડે. વળી તેમણે અનશન કરીને દેહ છોડ્યો હતો. એ માટે પણ તે ઉંમર સહેજ વહેલી ગણાય. પોતે તપસ્વી સાધુ હતા, બાળ બ્રહ્મચારી હતા, યોગવિદ્યાના અભ્યાસી હતા, સમતારસથી સભર જ્ઞાની હતા. એટલે એમણે સારું દીર્ધાયુષ્ય ભોગવ્યું હશે એમ માનવાને વધુ કારણ રહે છે. આ વિષયમાં જ્યાં સુધી વધુ ચોક્કસ પુરાવા ન મળે ત્યાં સુધી એમની જન્મસાલ વિશે થોડીક અનિશ્ચિતતા રહેવાની. જન્મસ્થળ અને દીક્ષા “સુજસવેલી ભાસ'માં જણાવ્યા પ્રમાણે ગુર્જરદેશમાં કનોડું નામે ગામ છે. ત્યાં નારાયણ નામે વેપારી વસતો હતો. તેની પત્નીનું સોભાગદે (સૌભાગ્યદેવી) હતું. તેઓને જશવંત નામે ગુણવાન પુત્ર હતો. કુણગર (કુમારગિરિ)માં ચોમાસુ કરીને સં. ૧૬૮૮માં પંડિતવર્ય શ્રી નવિજયજી કનોડું (કનોડા) ગામમાં પધાર્યા.
20
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org