SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જ્ઞાનસાર પશુઓમાં કદની દૃષ્ટિએ મોટામાં મોટું તે હાથી છે. તે શાકાહારી છે, શાન્ત છે, સમજદાર છે અને શોભારૂપ છે. સિંહ ક્રૂર, હિંસક અને આક્રમક છે. સિંહ જો છલાંગ મારી હાથીની પીઠ પર ચડી જવામાં ફાવી ગયો તો તે હાથીને ફાડી ખાય છે. પણ હાથી જો સાવધ હોય તો સિંહને ફાવવા દેતો નથી અને પોતાની સૂંઢ વડે પકડીને અને મજબૂત પગ વડે કચડીને સિંહને પરાજિત કરી ભગાડી દે છે કે મારી નાખે છે. ઇન્દ્રિયોરૂપી સિંહ પ્રમાદી સાધકના વિવેકરૂપી હાથીને હણી નાખે છે, પરંતુ ધીરપુરુષોમાં મુખ્ય એવા અપ્રમત્ત, સમર્થ, સ્વસ્થ સાધકના વિવેકરૂપી હાથીને હણી શકતો નથી. તે જ પ્રમાણે ઇન્દ્રિયોરૂપી ચોર જાગતા ધીરપુરુષના ધ્યાનરૂપી ધનને ઉઠાવી જઈ શકતો નથી. એટલે કે સાધકનું ધ્યાન ખંડિત થતું નથી. | વિવેક એટલે જુદું પાડવાની શક્તિ. સાર શું છે અને અસાર શું છે તે પારખવાની શક્તિ. સાધક માટે વિવેક એટલે દેહ અને આત્માને ભિન્નરૂપે જોવાનું જ્ઞાન, એટલે કે ભેદજ્ઞાન. વિવેક એટલે શુભ કર્મ અને અશુભ કર્મ સમજવાની દૃષ્ટિ. સાધક મહાત્માઓ જ્યારે સ્વરૂપાનુભવના ધ્યાનમાં આરૂઢ થાય છે ત્યારે તે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય છે. મોટા ઉપસર્ગો થાય તો પણ તેઓ ધ્યાનથી ચલિત થતા નથી. નમિરાજર્ષિ, મેતારજમુનિ, ગજસુકુમાલ મુનિ વગેરે મહાત્માઓ ઇન્દ્રિયોના ઉપસર્ગોથી જિતાયા નથી. સાધકે ઉત્તરોત્તર એવું આત્મિક બળ કેળવવું જોઈએ કે જેથી ઇન્દ્રિયો તેમને પરાજિત ન કરી શકે. જે સાધકો ઇન્દ્રિયોથી પરાજિત થતા નથી એમને ઇન્દ્રાદિ દેવો પણ વંદન કરવા આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy