________________
૮. ત્યાગાષ્ટક
૧ ૧ ૧
૮. ત્યાગાષ્ટક [૫૭] સંયેતાત્મા શ્ર શુદ્ધોપાં પિતર નિમ્
धृतिमम्बां च पितरौ तन्मां विसृजतं ध्रुवम् ।। ८ ।। १ ।। [શબ્દાર્થ સંયતાત્મા=સંયમ પ્રત્યે અભિમુખ થયેલો; =હું આશ્રય કરું છું; શુદ્ધોપયો શુદ્ધ ઉપયોગરૂપ; પિતર–પિતાનો; નિગમ=પોતાના; ધૃતિમ=ધૃતિ, વૈર્ય, આત્મરતિ; અન્વ=માતાનો; =અને; પિતર=માતાપિતા; તનતો માં=મને; વિનતં–છોડો; ધુવમ=અવશ્ય]
અનુવાદ–સંયમ પ્રત્યે અભિમુખ થયેલો હું શુદ્ધોપયોગરૂપ પોતાના પિતાનો અને આત્મરતિરૂપ માતાનો આશ્રય કરું છું. માટે હે (સાંસારિક) માતાપિતા ! મને અવશ્ય છોડો. (૧) વિશેષાર્થ ત્યાગ નામના આ અષ્ટકમાં દીક્ષાર્થીએ માતા પિતા, બંધુ, પત્ની એમ ઉત્તરોત્તર બધાનો ત્યાગ કરતાં કરતાં મુનિ થઇને છેવટે પોતાના નિર્મળ આત્માને કેવી રીતે પ્રગટાવવાનો છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
દીક્ષાર્થીએ સૌથી પહેલાં માતાપિતાનો (જે હોય તેનો) ત્યાગ કરવાનો હોય છે અને એ માટે એમની અનુમતિ લેવાની હોય છે. આ બહુ નાજુક ક્ષણ હોય છે. કાચા માણસો ડગી જાય છે કે અસ્વસ્થ થઈ જાય છે. એ સમયે દીક્ષાર્થીમાં ધૈર્ય જોઈએ.
પોતાને વહાલથી ઉછેરનાર માતાપિતાની આંખમાં આંસું જોતાં વિવળ બની જવાય છે. કોઈ વાર પોતાના ગૃહત્યાગના નિર્ણયને તાત્કાલિક મુલતવી રાખવો પડે છે. સાચો ભાગ્યશાળી દીક્ષાર્થી માતા પિતાને દુભવતો નથી. એમને પ્રેમથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org