________________
૧૧ ૨
જ્ઞાનસાર
સમજાવે છે. એમની સેવાભક્તિ કરે છે. એમના ઉપકારને યાદ કરે છે. એમને સાચી સમજણ આપે છે કે જેથી માતાપિતા પ્રેમથી દીક્ષા માટે અનુમતિ આપે અને અતિશય હર્ષ તથા ગૌરવ અનુભવે.
ગ્રંથકારશ્રીએ આ અષ્ટકના પ્રથમ ત્રણ શ્લોકમાં પ્રાચીન પરંપરા અનુસાર અંતરમાં રહેલા તાત્ત્વિક સગુણો માટે પારિવારિક રૂપકની યોજના કરી છે. એમાં શુદ્ધોપયોગને પિતા, ધૃતિને માતા, શીલ વગેરેને બંધુઓ અને સમતાને પત્ની તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. આ રીતે જેમ બાહ્ય કુટુંબ હોય છે તેમ એક આત્યંતર કુટુંબ પણ હોય છે. દીક્ષાર્થી બાહ્ય કુટુંબનો ત્યાગ કરે તો જ આત્યંતર કુટુંબને યથાર્થ રીતે પામી શકે છે. આત્યંતર કુટુંબમાં દીક્ષાર્થીએ પોતે મોહ, મમતા, માન, લોભ જેવા દુષ્ટ પાત્રોના હાથમાં સપડાઈ ન જાય એની સાવધાની રાખવાની હોય છે.
સંયમ ધારણ કરવા માટે અભિમુખ થયેલો જીવ શુદ્ધ ઉપયોગરૂપી પોતાના પિતાનો અને ધૃતિ અર્થાત્ આત્મરતિ રૂપી માતાનો આશ્રય કરે છે. એથી તે લોકિક માતાપિતાને વિનંતી કરતાં કહે છે કે, “હે માતા પિતા ! તમે હવે મને છોડો, મને છૂટી જવા દો, કારણ કે પરમાર્થથી જોતાં તમે મારાં માતાપિતા નથી. આપણો આ સંબંધ ભ્રાન્તિરૂપ છે, કારણ કે અનાદિ કાળથી ચાલ્યા આવતા આપણા આ સંબંધોમાં પરસ્પર ક્યારેક માતા, ક્યારેક પિતા, કયારેક મિત્ર, ક્યારેક શત્રુ એવાં એવાં રૂપ પૂર્વે આપણે ધારણ કર્યા હશે. એ ભ્રાન્તિમય સંબંધો છોડીને હું હવે તાત્ત્વિક સનાતન સંબંધો બાંધવા ઇચ્છું છું. માટે તમે મને રજા આપો.”
આ રીતે માતાપિતાના ત્યાગથી સાધકનું ત્યાગનું પ્રથમ સોપાન શરૂ થાય છે. [૫૮] યુખાવં સંમોડનાવિન્યવોનિયતાત્મનામ્ |
ध्रुवैकरूपान्शीलादिबन्धूनित्यधुना श्रये ।। ८ ।।२।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org