________________
૭. ઇન્દ્રિયજયાષ્ટક
૧૦૯
કારણે નરક ગતિનાં દુઃખો ભોગવવાનો વખત આવ્યો છે.
એટલા માટે સાધકે ઇન્દ્રિયોથી પરાજિત થવું ન જોઈએ; ઇન્દ્રિયોના વિષયો એટલા બધા છે અને અવસરો પણ એટલા બધા પ્રાપ્ત થાય છે કે એના ઉપર સંયમ મેળવવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે મનથી ભારે પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. [૫] વિવેઢીપદક્ષે સમાનતા
इन्द्रियैर्यो न जितोऽसौ धीराणां धुरि गण्यते ।। ७ ।। ८ ।। [ શબ્દાર્થઃ વિવેવ દીપ=વિવે કરૂપી હાથી; રર્થક્ષે:=સિંહ સમાન; સમાધિન=સમાધિરૂપી ધન તરે ચોરો જેવી; મૈિ ઇન્દ્રિયો વડે; ય =જે; ને નિત =જિતાયો નથી; :=; ધીરા ધીર પુરુષોની, ધીર પુરુષોમાં; ધુરિ=મુખ્ય; ખ્યતેગણાય છે.]
અનુવાદ-વિવેકરૂપી હાથીને હણવામાં સિંહ સમાન, સમાધિરૂપી ધનને લૂંટવામાં ચોરો જેવી ઇન્દ્રિયો વડે જે જિતાયો નથી તે ધીર પુરુષોમાં મુખ્ય ગણાય છે. (૮).
વિશેષાર્થ અહીં ઇન્દ્રિયો માટે બે રૂપક યોજવામાં આવ્યાં છે. (૧) ઇન્દ્રિયો સિંહ છે અને (૨) ઇન્દ્રિયો તસ્કર એટલે કે ચોર છે.
સિંહ દિવસે સામી છાતીએ આક્રમણ કરે છે અને ચોર ઘણુંખરું રાતને વખતે ચૂપચાપ પોતાની પ્રવૃત્તિ આદરે છે.
ઇન્દ્રિયો રૂપી સિંહ સાધકના વિવેકરૂપી હાથી ઉપર આક્રમણ કરે છે. વળી ઇન્દ્રિયોરૂપી ચોર સાધકના સમાધિરૂપી ધનને ચોરી જવા આવે છે.
પરંતુ જે ધીર, સ્વસ્થ, સમર્થ સાધકો છે તે દિવસે એટલા ચકોર હોય છે અને રાત્રે પણ એટલા જાગૃત હોય છે કે તેઓ લૂંટાતા નથી કે પરાજિત થતા નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org