________________
૪ ૧ ૨
જ્ઞાનસાર
પ્રકારની મહેફિલોમાં અડધી રાત સુધી શ્રોતા સમુદાય કંટાળતો નથી. કષ્ટો હોંશથી સહન કરીને માણસો તીર્થયાત્રા કરે છે.
ધન કમાવા માટે માણસો ટાઢ તડકો વેઠતાં હોય છે. એમાં એને કષ્ટ લાગતું નથી. આજીવિકા માટે માણસ ખાણમાં કે ગટરમાં કામ કરવા તૈયાર થઈ જાય છે. આખી જિંદગી રાતની પાળી સ્વીકારે છે. જોખમી વ્યવસાયો પણ માણસ સ્વીકારી લે છે. આ બતાવે છે કે શારીરિક કષ્ટ સાપેક્ષ છે. એટલે તપશ્ચર્યા પણ બધાને કષ્ટરૂપ ન લાગે એ સ્પષ્ટ છે.
ભવવિરક્તિ અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્ય જેઓને જાગ્યો છે અને પરમ તત્ત્વની પ્રાપ્તિની જેઓને લગની લાગે છે તેઓને માટે ઉપવાસાદિ કષ્ટ નથી. કેટલાક તો એક મહિનાના કે તેથી વધુ સમયના ઉપવાસ હર્ષપૂર્વક, ઉલ્લાસથી કરે છે. કેટલાયે મહાત્માઓ પરીષહ-ઉપસર્ગ હસતાં હસતાં સહન કરી લે છે. ગજસુકુમાલ, ધન્નાજી, શાલિભદ્ર વગેરેએ સ્વેચ્છાએ કેવાં કષ્ટો સ્વીકારી લીધાં હતાં ! જ્યારે કોઈક ઉચ્ચત્તર ધ્યેય પાર પાડવું હોય, કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય તો તેના કારણમાં, તેની પૂર્વ તૈયારીમાં માણસ પ્રમાદ નથી કરતો.
ઉપવાસાદિ બાહ્ય તપમાં સામાન્ય માણસને કષ્ટ જણાય, કશુંક સહન કરવા જેવું લાગે એ સ્વાભાવિક છે. પરંતુ એક વખત ઘાતિ કર્મોની નિર્જરા અને મોક્ષપ્રાપ્તિની લગની લાગે તો બાહ્ય તપશ્ચર્યામાં અને આત્યંતર તપમાં જીવ મગ્ન બની જાય છે. તપનો આવો મહિમા છે. [૨૪૪] સદુપયપ્રવૃત્તાનામુપેયમથુરસ્વત: |
જ્ઞાનિનાં નિત્યમાનન્દવૃદ્ધિવ તપસ્વિનામૂiારૂાજા [શબ્દાર્થ : પાય=સારા ઉપાયમાં પ્રવૃત્તાના=પ્રવૃત્ત થયેલા; ૩૫યમથુરત્વત: =સાધ્યની (મોક્ષરૂપી સાધ્યની) મધુરતાથી; જ્ઞાનિનાં=જ્ઞાનીઓને; નિત્ય હંમેશાં માનન્દવૃદ્ધિદેવ=આનંદની વૃદ્ધિ જ; તપસ્વિના—તપસ્વીઓને.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org