________________
૩૧. તપાષ્ટક
૪ ૧ ૧
એટલે જ એ તપ તરીકે ઓળખાય છે. છતાં એવા જ્ઞાની મહાત્માઓ જોવા મળે છે કે જેઓ સ્વેચ્છાએ સામે પ્રવાહે તરી, ઉપવાસાદિ તપશ્ચર્યા કરી પોતાના જીવનમાં કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરે છે. કેટલાક સંખના કરે છે. એમાં દેહકષ્ટ રહેલું હોય છે પણ એ દેહકષ્ટ જ અથવા દેહાતીતપણું આત્મધર્મ તરફ જીવને વાળે છે. બાહ્ય તપ આત્યંતર તપની પુષ્ટિ માટે છે.
કેટલાક લોકો બાહ્ય તપની અવગણના કરે છે. “આ તો લાંઘણ છે એમ કહીને બાહ્ય તપની નિંદા કરે છે. “મન શુદ્ધ રાખો.” “આત્મભાવમાં રહો, બાહ્ય તપની જરૂર નથી', ઇત્યાદિ તેઓ કહે છે, પરંતુ તેઓ તપનું હાર્દ બરાબર સમજ્યા નથી. એટલા માટે જ ગ્રંથકારશ્રીએ પોતે લખ્યું છે કે તીર્થંકર પરમાત્મા, પોતે કેવળજ્ઞાની થવાના છે, પોતે તદ્ભવ સિદ્ધિગામી એમ જાણવા છતાં દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણના દિવસે અનશન કરતા હોય છે. અનશન એમનાથી થાય છે [૨૪] ઘનાર્થિનો યથા નાપ્તિ શીતતાપવિદ્યુમ્
તથા મવવિક્તાનાં તત્ત્વજ્ઞાનાર્થનામપિ રૂ શરૂ [શબ્દાર્થઃ ધનાર્થિના ધનના અર્થીઓને, ધન કમાવા માટે મહેનત-મજૂરી કરનારને; યથા=જેમ; નાસ્તિકનથી; શીતતાપવિટાઢતડકો વગેરે કષ્ટો; કુમ=દુસહ, દુઃખે કરીને સહન કરાય તે; તથા=તેમ, મવવિક્તાનાં સંસારથી વિરક્ત થયેલાઓને; તત્વજ્ઞાનાર્થના =તત્ત્વજ્ઞાનના અર્થીઓને; પ=પણ.]
અનુવાદઃ જેમ ધનના અર્થને ટાઢ-તડકો વગેરે દુસહ નથી, તેમ સંસારથી વિરક્ત થયેલા તત્ત્વજ્ઞાનના અર્થીઓને પણ તપ દુસહ નથી. (૩)
વિશેષાર્થ : જે માણસને જે કાર્ય કરવામાં રસ પડે તે કાર્ય કરવામાં એને કષ્ટ ઓછું લાગે કે કદાચ ન લાગે. વિવિધ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના આવા માણસો જોવા મળશે. કોઈ ચિત્રકાર પોતાનું ચિત્ર પૂરું કરવા માટે આખી રાતનો ઉજાગરો કરે છે અને છતાં એને એમાં કંઈ તકલીફ લાગતી નથી કવિતા, સંગીત કે ઇતર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org