SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ જ્ઞાનસાર [૨૪] માનુશ્રોસિલી વૃત્તિર્વાત્માના સુવશીતા I પ્રતિશ્રોતસિક વૃત્તિíનિનાં પરમં તપ: રૂારા [શબ્દાર્થ માનુશ્રોતરિકી=પ્રવાહને અનુસરનાર, ગતાનુગતિક વૃત્તિ:=વૃત્તિ; વીતાના=બાળ જીવોની, અજ્ઞાનીની; સુરશીનતા=સુખશીલપણું; પ્રાતિશ્રોતસિક્કી=સામે પ્રવાહે તરવારૂપ; વૃત્તિ:sવૃત્તિ; જ્ઞાનિનાં=જ્ઞાનીઓની; પરમં=પરમ, શ્રેષ્ઠ; ત૫:=તપ.] અનુવાદઃ પ્રવાહને અનુસરનારી બાળજીવોની વૃત્તિ તે સુખશીલતા છે. સામા પ્રવાહે તરવારૂપ જ્ઞાનીઓની વૃત્તિ તે પરમ તપ છે. (૨) વિશેષાર્થ આહાર સંજ્ઞા સર્વ સંસારી જીવોને વળગેલી છે. સમયે સમયે જીવને આહાર જોઈએ છે. સમગ્ર સંસારમાં સ્વેચ્છાએ ભૂખ્યા રહેવાનું કેટલા પસંદ કરે છે? ઉપવાસ વગેરે તપનો મહિમા કેટલા ઓછા ધર્મોમાં છે ! વસ્તુતઃ દુનિયામાં તપશ્ચર્યાના ઉત્સવો કરતાં ખાવાપીવાના ઉત્સવો જ સવિશેષ છે. સરસ અવસર આવ્યો કે કરો મિષ્ટાન્ન ભોજન. સંસારની અનાદિકાળથી ચાલી આવતી આ પ્રવૃત્તિ છે. (વૃત્તિ શબ્દ અહીં પ્રવૃત્તિના અર્થમાં કર્તાએ પ્રયોજ્યો છે.) આ એક પ્રકારનો લોકપ્રવાહ છે. નદીમાં જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં તરવું કે નાવ ચલાવવી એ સહેલી વાત છે. સંસારના બાળજીવોની પ્રવૃત્તિ આવી રીતે લોકપ્રવાહને અનુસરનારી છે. એમાં જ તેઓને સુખશીલતા, અનુકૂળતા, ગમવાપણું અનુભવાય છે. પરંતુ કેટલાક બળવાન, પરાક્રમી, મહત્ત્વાકાંક્ષી માણસો નદીમાં સામે પ્રવાહ તરવાનો પુરુષાર્થ કરે છે અને એનો આનંદ માણે છે. તેવી રીતે આહારની બાબતમાં કેટલાક જ્ઞાનીઓ સામે પ્રવાહે તરવાવાળા હોય છે એટલે કે સ્વેચ્છાએ ભૂખ્યા રહી ઉપવાસ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરે છે. સામે પ્રવાહે તરવાનો ભાવ થવો એ જ દુર્લભ અને ભાવ થયા પછી એ પ્રમાણે પ્રવૃત્તિ થવી એ તો એથી પણ દુર્લભ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy