SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧. તપાષ્ટક ४०८ થાય છે. તપ બે પ્રકારનાં છેઃ બાહ્ય અને આત્યંતર. બાહ્ય તપ છ પ્રકારનાં છેઃ (૧) અનશન, (૨) ઉણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા. અતિચારની ગાથામાં કહ્યું છેઃ अणसणमणोअरिआ, वित्ती संखेवणं रसच्चाओ; कायकिलेसो संलीणया य बज्झो तवो होई. આત્યંતર તપ પણ છ પ્રકારનું કહ્યું છેઃ (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) વ્યુત્સર્ગ. पायच्छित्तं विणओ, वेयावच्च, तहेव सज्झाओ; झाणं उसग्गो वि अ, अन्भिंतर तवो होई. આ બાર પ્રકારનાં તપ તે મુખ્ય તપ છે. એ દરેકના પેટા વિભાગો છે અને આ મુખ્ય તપ ઉપરાંત બીજાં વિવિધ પ્રકારનાં ગૌણ તપ પણ છે. હકીકતમાં જીવને કર્મનાં બંધનમાંથી મુકત કરાવે, કર્મની નિર્જરા કરાવે એ માટે સ્વેચ્છાએ સ્વીકારેલી કોઈ પણ પ્રકારની, બીજાને કષ્ટરૂપ લાગતી પ્રવૃત્તિ તે તપ છે. તપ કર્મોને તપાવે છે. એટલે કહેવાય છે કે તપાવે એ તપ. માં તાપનાત્ તપ: જ્ઞાનીઓ તપને જ્ઞાનસ્વરૂપ કહે છે. એટલે કે જ્ઞાન એ જ તપ છે. જીવ જ્યારે મન, વચન અને કાયાથી કોઈ ક્રિયા કરે છે તો એના ભાવો, અધ્યવસાયો ઇત્યાદિ અનુસાર કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓ ખેંચાઈને એના આત્મપ્રદેશોમાં ચોંટી જાય છે એટલે કે કર્મ બંધાય છે. કર્મગ્રંથમાં કર્મો બંધાવાં અને કર્મોમાંથી મુક્તિ મેળવવી એ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધનું સ્વરૂપ તથા સત્તા, ઉદય, ઉદીરણા વગેરેનું સ્વરૂપ કર્મગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. તપ દ્વારા કર્મની ઉદીરણા કરીને એની નિર્જરા કરી શકાય છે. બાહ્ય તપ અને આત્યંતર તપ એ બેય પ્રકારના તપની આવશ્યકતા છે, પરંતુ બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ ચડિયાતું છે. અને બાહ્ય તપ આવ્યંતર તપની પુષ્ટિ માટે જ છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy