________________
४०८
જ્ઞાનસાર
૩૧. તપાષ્ટક [૨૪] જ્ઞાનમેવ જુથા: પ્રાદુ: કર્મ તાપના તા:
તવાગ્યારમેષ્ઠ વહિં તદુપનૃહમ્ રૂારા [શબ્દાર્થ ? જ્ઞાનમેવ=જ્ઞાનને જ; યુથ =પંડિતો, જ્ઞાનીઓ; પ્રાદુ =કહે છે; વળાં કર્મોને; તાપના =તપાવવાથી; તY:=તપ; ત =તે (તપ); આખ્યત્તરમે=આત્યંતર જ, અંતરંગ જ; {ષ્ટ ઇષ્ટ છે; વીડ્યાં બાહ્ય તપ; તકુપવૃદમeતેને (અત્યંતર તપને) વધારનાર.
અનુવાદ કર્મોને તપાવનાર હોવાથી જ્ઞાન એ જ તપ છે એમ પંડિતો કહે છે. તે અત્યંતર (આભ્યાંતર) તપ જ ઇષ્ટ છે. બાહ્ય તપ તેને (આત્યંતરને) વધારનાર છે. (૧)
વિશેષાર્થ : સામાન્ય વ્યવહારમાં કોઈ પણ પ્રકારનું કષ્ટ એ “તપ” કહેવાય છે. “તપ” શબ્દ બહુ વ્યાપક અર્થમાં વપરાય છે. ક્યાંક રાહ જોવી પડે તો પણ માણસો બોલે છે, “બહુ તપવું પડ્યું.”
સર્વ સસારી જીવોને એક નહિ તો અન્ય પ્રકારનું કષ્ટ વેઠવું પડે છે. આવા કષ્ટને વ્યવહારમાં ભલે “તપ” કહેવાય, સિદ્ધાન્તની દૃષ્ટિએ એ તપ નથી. કોઈ માણસને ખાવું છે પણ ખાવાનું મળ્યું નહિ અને ભૂખ્યા રહેવું પડ્યું અને ઉપવાસ થયો તો તે કષ્ટ જરૂર છે, પણ એને ધાર્મિક પરિભાષામાં તપ તરીકે ઓળખાવી શકાય નહિ. આવું કષ્ટ તે પૂર્વના અંતરાય કર્મના ઉદયરૂપ અને અશાતાવેદનીય કર્મના ફળરૂપ છે.
સ્વેચ્છાએ સમજણપૂર્વક જે કષ્ટ સ્વીકારાય તે તપ છે. એ સંવર સ્વરૂપ હોય તો એનાથી કર્મનો બંધ રોકાય છે અને નિર્જરા સ્વરૂપ હોય તો એનાથી કર્મનો ક્ષય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org