________________
૨૭. યોગાષ્ટક
૩૬ ૩
ધાર્મિક કથાઓમાં પણ રસ પડે છે. પોતે ક્યારે મુનિ થશે એવા કોડ થાય છે. બીજા બાજુ એમને સાંસારિક ભોગવિલાસની વાતોમાં રસ નથી પડતો. એવાં નાટક સિનેમા જોવાં નથી ગમતાં. લગ્નાદિ સમારંભોમાં, વિવિધ વાનગીઓ સાથેની મિજબાનીઓમાં જવું નથી ગમતું.
(૨) પ્રવૃત્તિયોગ-ક્રિયાયોગ અને જ્ઞાનયોગનું પાલન કરવું ગમે તે પ્રવૃત્તિયોગ. સાધકને શક્તિ અને ઉત્સાહ વધતાં શાસ્ત્રાનુસાર વિધિપૂર્વક સાધના કરવી ગમે છે. તે માટે તે ઉપાયોનો વિચાર કરે છે. એના જીવનમાં પ્રમાદનું નામ ન હોય. (૩) સ્થિરતાયોગ-સતત અભ્યાસથી પ્રવૃત્તિમાં સ્થિરતા આવે છે. દોષો, અતિચારો વગેરે નીકળી જાય છે પછી બાધક અધ્યવસાય કે એવા અતિચારનો ભય રહેતો નથી. સાધક નિર્ભયતા, શાન્તિ અને પ્રસન્નતા અનુભવે છે.
(૪) સિદ્ધિયોગ-બીજાના હિતને સાધવું તે સિદ્ધિયોગ છે. સિદ્ધયોગીઓનાં અંતઃકરણમાં જગતના સર્વ જીવોના કલ્યાણનો ભાવ સતત રહેતા હોય છે. એમની સાધના પણ એવી ઉચ્ચ કોટિની હોય છે. હિંસક પ્રાણીઓ એમની પાસે આવીને શાન્તિથી બેસી જાય છે. એમના સાનિધ્યમાં હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મ ટકી શકતાં નથી. [૧૩] અર્થત્વસ્વનોદૈત્યવન્દ્રના વિભાવનમ્ |
श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ।।२७।।५।। [શબ્દાર્થ : અર્થતત્વનયો:=અર્થ અને આલંબનનું; ચૈત્યવંદના=શૈત્યવંદનાદિ ક્રિયામાં; વિમવનં=વારંવાર સ્મરણ કરવું; શ્રેય શ્રેય માટે, કલ્યાણ અર્થે; યોનિ: યોગીના; થાનવયો:=સ્થાન અને વર્ણમાં; યત્ન પવEયત્ન જ, ઉદ્યમ જ; =અને.]
અનુવાદઃ ચૈત્યવંદનાદિમાં અર્થ અને આલંબનનું વિભાવન (વારંવાર સ્મરણ) કરવું અને સ્થાન તથા વર્ણમાં ઉદ્યમ જ યોગીના કલ્યાણ માટે છે. (૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org