________________
૩૬ ૨
જ્ઞાનસાર
આ યોગોથી આત્મામાં કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રથમ પ્રગટ થાય છે. (૧) કૃપા એટલે અનુકંપા. અનુકંપા એટલે દુઃખી જીવોને જોઈને એમનાં દુઃખ દૂર કરવાનો અથવા દુઃખ દૂર થાય એવો ભાવ જાગે.
(૨) નિર્વેદ-ચાર ગતિમય સંસારનાં દુઃખો વિશે જાણીને કે અનુભવીને ત્રાસ થાય અને એમાંથી મુક્ત થવા માટે વૈરાગ્યમય ભાવ થાય.
(૩) સંવેગ-મોક્ષ માટેની તીવ્ર અભિલાષા, આત્માના જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવવા માટેની પ્રબળ ભાવના.
(૪) પ્રશમ-એટલે ઉપશમ, ક્રોધ, માન, માયા, લોભ એ ચારે કષાયોને શાન્ત કરવાનો પુરુષાર્થ. [૧૨] ફચ્છી તથા પ્રતિક પ્રવૃત્તિ: પાનનં પરમ્ |
स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थ साधनम् ।।२७।।४।। [શબ્દાર્થ ઃ રૂØ=ઈચ્છાયોગ; ત=તે પ્રમાણે; કથાપ્રીતિ =કથાપ્રીતિ; પ્રવૃત્તિ:=પ્રવૃત્તિયોગ; પાનન=પાલન, ઉપાયોનું પાલન; પર=વિશેષ;
ધૈર્ય=સ્થિરતાયોગ; વીધવામીહાનિ:=બાધક (અતિચાર)ના ભયનો ત્યાગ; સિદ્ધિ =સિદ્ધિયોગ; અન્યાર્થસાધનં=બીજાના અર્થનું સાધન
અનુવાદઃ તે પ્રમાણે કથામાં પ્રીતિ તે ઇચ્છાયોગ છે, તેનું યોગનું) સર્વથા પાલન તે પ્રવૃત્તિયોગ છે, બાધકના (અતિચારોના) ભયનો અભાવ તે સ્થિરતાયોગ છે અને પરાર્થનું (બીજાઓના હિતનું) સાધન તે સિદ્ધિયોગ છે. (૪)
વિશેષાર્થ: આ શ્લોકમાં ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર યોગની સંક્ષિપ્ત વ્યાખ્યા આપવામાં આવી છે. આ ચારે યોગ અનુક્રમે છે અને ઉત્તરોત્તર વધુ વિકાસવાળા છે.
(૧) ઇચ્છા-આ યોગવાળાને સાધક થવાની અભિલાષા જાગે છે તેને સાધુઓને જોઈને આનંદ થાય છે. તેમના વિશેની વાતોમાં રસ પડે છે. પૌરાણિક કે કાલ્પનિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org