________________
૨૭. યોગાષ્ટક
૩૬૧
સિદ્ધિ એ ભેદો છે. તે કુપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમની ઉત્પત્તિ કરનારા છે. (૩)
વિશેષાર્થ: આ અષ્ટકના આરંભમાં કર્મયોગ અને જ્ઞાનયોગના બધું મળીને પાંચ ભેદો બતાવવામાં આવ્યા છેઃ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત (એકાગ્રતા).
આ પાંચ યોગના પ્રત્યેકના ચાર ચાર પ્રકાર છે. એટલે કુલ વીસ પ્રકારો થાય. એ ચાર પેટા પ્રકાર તે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ છે. એટલે સ્થાનના ચાર પ્રકાર છે-ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતા યોગ અને સિદ્ધિયોગ. એવી રીતે વર્ણના ચાર, અર્થના ચાર, આલંબનના ચાર અને આલંબનરહિત (એકાગ્રતા)ના ચાર ભેદ છે.એમ પાંચ યોગના બધું મળીને વીસ ભેદો છે. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગવિંશિકા'માં કહ્યું છેઃ
इक्किक्को चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो।
इच्छा-पवित्ति-थिर-सिद्धिभेयओ समयनीईए॥ [અહીં સ્થાનાદિયોગમાંનો પ્રત્યેક યોગ પરમાર્થથી યોગશાસ્ત્રમાં કહેલા (સમયનીયા) ક્રમ વડે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિના ભેદના ચાર પ્રકારે જાણવો.]
ઇચ્છાદિ ચાર ભેદો અંગે કહેવાયું છે કે આવરણકર્મના ક્ષયોપશમના અસંખ્ય ભેદો હોય છે. એટલે સ્થાનાદિ યોગના અસંખ્ય ભેદો થઈ શકે છે. પરંતુ તફાવત સ્પષ્ટ સમજાય એ માટે અસંખ્ય ભેદોનું ઇચ્છાદિ ભેદોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
સ્થાનાદિ પાંચ યોગોમાં ઇચ્છા વગેરે પાંચ અનુક્રમે પ્રાપ્ત થાય છે. ઉ. ત. સ્થાનયોગમાં આસન અને મુદ્રા વિશે ઇચ્છા થાય. અર્થાત્ જિજ્ઞાસા થાય ત્યાર પછી તેમાં પ્રવૃત્તિ થાય, પછી તે પ્રવૃત્તિમાં સ્થિરતા આવે અને એમ કરતાં કાળક્રમે આસન અને મુદ્રા સિદ્ધ થાય. એવી જ રીતે વર્ણ, અર્થ વગેરેમાં પણ અનુક્રમે ઇચ્છાથી સિદ્ધિ સુધી પહોંચાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org