________________
૩૬૦
જ્ઞાનસાર
ક્રિયાયોગનું બીજું અંગ છે વર્ણ. વર્ણ એટલે અક્ષર, શબ્દ ઇત્યાદિ. સૂત્રો ઇત્યાદિનું શુદ્ધ ઉચ્ચારણ થાય તો ભાવોલ્લાસ વધે છે.
જ્ઞાનયોગમાં અર્થ, આલંબન અને એકાગ્રતા એ ત્રણ એના અંગો છે. જે સૂત્રો વગેરે બોલવામાં આવે છે તે અર્થ સહિત સમજવાં જોઇએ. એથી ચિત્તમાં અર્થપ્રકાશ વધે છે. આલંબનમાં પ્રતિમા વગેરેનું આલંબન લઈ શકાય. એથી મનની સ્થિરતા વધે છે. આલંબન પછી ધ્યાનના વિષયમાં ચિત્તની એકાગ્રતા સાધવાની છે.
આમ ક્રિયાયોગ અને જ્ઞાનયોગનાં મળીને પાંચ અંગ બતાવવામાં આવ્યાં છે. એ અંગોમાં વખતોવખત શિથિલતા આવવાની કારણ કે મનુષ્યનું મન એવું છે, પરંતુ એ અંગો જેટલાં શુદ્ધ એટલું એનું ફળ સારું મળવાનું.
આ પાંચ અંગો વિરતિવંત સાધુઓમાં અવશ્ય હોવાં જોઈએ. એ પ્રકારની તાલીમ ગુરુ ભગવંતો શિષ્યોને આપે છે. એ માટે આગ્રહ રાખવો જોઈએ. કારણ કે કાળ બહુ વિષમ છે.
આ અંગો મુનિમહારાજમાં ફરજિયાત નિયમ તરીકે હોવાં જોઈએ. ગૃહસ્થ વગેરેમાં એ બીજરૂપ હોય તો એ ઇષ્ટ છે, કારણ કે એથી તેઓની યોગ્યતા વધે છે. બીજમાંથી વૃક્ષ થાય છે. [૧૧] પનિર્વસંવેશપ્રશમોત્પત્તિરિણ:
મેવા: પ્રત્યેમàછીપ્રવૃત્તિસ્થિસિદ્ધયઃ ર૭ારૂપ [શબ્દાર્થ : પ=કૃપા નિર્વ=નિર્વેદ, સંસાર પ્રત્યે અભાવ, સંસારનો ભય; સંવે મોક્ષની અભિલાષા; પ્રશમ=પ્રશમ; ઉત્પત્તિwારિખ:=ઉત્પત્તિ કરનારા; મેવા=ભે દો; પ્રત્યેવ=પ્રત્યેકના; મંત્ર=અહીં, આમાં; રૂછીeઇચ્છા; પ્રવૃત્તિ=પ્રવૃત્તિ, સ્થિરસિદ્ધય:=સ્થિરતા અને સિદ્ધિ.]
અનુવાદ: અહીં પ્રત્યેકના (સ્થાનાદિ યોગના) ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org