SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. યોગાષ્ટક ૩૫૯ હોય; વીનમાત્ર=માત્ર બીજરૂપ; પS=બીજામાં; પિકપણ.] અનુવાદઃ એમાં બે કર્મયોગ અને ત્રણ જ્ઞાનયોગ છે એમ (જ્ઞાનીઓ) જાણે છે. એ વિરતિવંતમાં નિયમથી હોય છે અને બીજાઓમાં માત્ર બીજરૂપે હોય છે. (૨) વિશેષાર્થ : મોક્ષની આરાધના માટે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એમ પાંચ પ્રકારના યોગ કહ્યા છે. એમાં પહેલા બે કર્મયોગ અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. જ્ઞાન અને ક્રિયા બંને સાથે હોય તો જ મોક્ષ છે. માટે કહ્યું છે. જ્ઞાનક્રિયાપ્યાં મોક્ષ. I ફક્ત જ્ઞાનયોગથી કે ફક્ત ક્રિયાયોગથી મોક્ષ નથી. કર્મયોગ અથવા ક્રિયાયોગના બે પ્રકાર છે: સ્થાન અને વર્ણ. આ બેમાં ક્રિયાની મુખ્યતા હોવાથી તેને ક્રિયાયોગ કહ્યા છે. જ્ઞાનયોગના ત્રણ પ્રકાર કહ્યા છેઃ અર્થ, આલંબન અને એકાગ્રતા. એમાં જ્ઞાનની મુખ્યતા હોવાથી એને જ્ઞાનયોગ કહેવામાં આવે છે. વસ્તુતઃ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા એ પાંચમાં ગીણભાવે કે મુખ્યભાવે જ્ઞાન અને ક્રિયા રહેલાં છે. સ્થાનમાં આસન અને મુદ્રા આવે છે. આસન એટલે પગની ગોઠવણી અને એની સાથે શરીરની ગોઠવણી. મુદ્રા એટલે મુખ્યત્વે હાથ અને એની આંગળીઓની ગોઠવણી અને સાથે સાથે મસ્તકની પણ ગોઠવણી. આસનમાં પદ્માસન, અર્ધ પદ્માસન, ખગાસન, પર્યકાસન, વીરાસન વગેરે બીજાં કેટલાંયે આસનો આરોગ્ય માટે હોય છે. મુદ્રાઓ વિવિધ પ્રકારની હોય છે જેમકે મુક્તાશુક્તિ મુદ્રા, વરદા મુદ્રા, પ્રવચન મુદ્રા વગેરે. આપણી ધર્મક્રિયાઓ જેવી કે સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવંદન, ચૈત્યવંદન, પડિલેહણ ઇત્યાદિમાં કેટલીક ગૃહસ્થો માટે અને કેટલીક મુનિ મહારાજ માટે હોય છે. એ બધી ક્રિયાઓમાં આસન અને મુદ્રા શાસ્ત્રકારોએ જે પ્રમાણે કહ્યાં હોય તે પ્રમાણે કરવાથી વિશેષ ફળ છે, કારણ કે આસન અને મુદ્રા મનફાવે તેમ કરવાથી ધાર્યું ફળ મળતું નથી. એ દરેકનું પ્રયોજન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy