________________
૩૫૮
જ્ઞાનસાર
વિચાર કરવામાં આવ્યો છે.
૧. સ્થાન-સ્થાન એટલે આસન અને મુદ્રા. એમાં પદ્માસન, પર્યકાસન વગેરે આસનો, કાયોત્સર્ગ વગેરે મુદ્રાઓ છે. સ્થાન એટલે શરીરની ગોઠવેલી આકૃતિ.
૨. વર્ણ અથવા ઉર્ણ-વર્ણ એટલે અક્ષર. અક્ષરોનો સમૂહ એટલે શબ્દ. વર્ણ એટલે ધર્મક્રિયા વખતે બોલાતા શબ્દો. ૩. અર્થ-શબ્દોના અર્થ. ધર્મક્રિયામાં બોલાતાં સૂત્રોના અર્થ.
૪. આલંબન-ધ્યાન ધરવા માટે આધાર તરીકે લેવાતી રૂપી વસ્તુ જેમ કે પ્રતિમા ચિત્ર, ફૂલ વગેરે.
૫. એકાગ્રતા (આલંબન રહિત)-રૂપી પદાર્થના આલંબન વગર ચિત્તની સ્થિરતારૂપ સમાધિ.
આ પાંચ પ્રકારના યોગમાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એ પ્રકારની શુદ્ધિ જો ન હોય તો તે ધર્મક્રિયા માત્ર દ્રવ્યક્રિયા બને છે.
આ પાંચ પ્રકારના યોગમાં અભ્યાસથી ઉત્તરોત્તર પ્રગતિ થાય છે. એમાં સર્વ પ્રથમ સ્થાન આસનને આપવામાં આવ્યું છે. આસનની સાથે મુદ્રા તો હોય જ. શરીર અને ચિત્તની શક્તિના વિકાસ માટે ભારતીય પરંપરામાં, યોગવિદ્યામાં ઘણો ઊંડો અભ્યાસ થયો છે. વિવિધ પ્રકારનાં આસનો અને વિવિધ પ્રકારની મુદ્રાઓથી શરીર અને ચિત્તને શો લાભ થાય છે તે યોગવિદ્યાના ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે. શરીરમાં અપાર ક્ષમતા રહેલી છે. આસનની સ્થિરતાથી મનની ચંચળતા દૂર થાય છે. નિયમિત પદ્માસન કરવાથી બ્રહ્મચર્યનું પાલન સારી રીતે થાય છે. [૨૧૦] કર્મયોચિં તત્ર જ્ઞાનયોત્રિય વિવું
विरतेष्वेव नियमाद् बीजमानं परेष्वपि ।।२७।।२।। શબ્દાર્થ : ફાર્મદ્રયં=બે કર્મયોગ; તત્ર=તેમાં; જ્ઞાનયાત્રયં==ણ જ્ઞાનયોગ; વિવું જાણે છે; વિરતેપુ=વિરતિવાળામાં; પર્વ જ; નિયમ=નિયમથી, અવશ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org