________________
૩૬૪
જ્ઞાનસાર
વિશેષાર્થ : મુનિઓએ જે આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે તે જો માત્ર યાંત્રિક રીતે, વેઠ રૂપે કરે તો દીક્ષા લીધા પછી પણ તેઓ ત્યાંના ત્યાં જ રહે. એ ક્રિયાઓના રહસ્યોને સમજે અને એવા ઉલ્લાસપૂર્વક રૂડી રીતે એ ક્રિયાઓ કરે તો અનુક્રમે આધ્યાત્મિક વિકાસ થતો જાય છે. વખતોવખત એવો પવન ફૂંકાય છે કે “આત્માને ઓળખો, દ્રવ્યક્રિયાઓથી કંઈ વળવાનું નથી ! પરંતુ આ પવનના ચકરાવાથી થોડી વાર ઊંચે તો ચઢાય છે, પણ પછી ધબ કરતાં નીચે પડાય છે, કારણ કે પવન સાથે ઊંચે ચઢી ત્યાં સ્થિર રહેવાની યોગ્યતા હજુ પ્રાપ્ત થઈ નથી. અકાળે આવશ્યક ક્રિયાઓ છોડી દેવાથી ઇષ્ટ પરિણામ આવતું નથી.
અહીંયોગીને-મુનિને ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ કરવાનું, સૂત્રના અર્થનું રહસ્ય સમજવાનું, અર્થ અને પ્રતિમાનું આલંબન લઈ ચિંતન કરવાનું તથા સ્થાનમાં તથા વર્ણના ઉચ્ચારમાં ઉદ્યમ કરવાનું કહ્યું છે.
શાસ્ત્રકારોએ યોગનાં ચાર અંગોનો-સ્થાન, વર્ણ, અર્થ અને આલંબનનો અભ્યાસ કરવાનું મુનિઓને કહ્યું છે. એથી મુનિજીવનની સાર્થકતા સમજાશે અને ઉલ્લાસ વધશે.
સ્થાન એટલે આસન અને મુદ્રાનો અભ્યાસ કરવો. અમુક પ્રકારનાં આસનથી અને મુદ્રાઓથી શરીર અને મનની શક્તિ ખીલે છે. એથી ઉલ્લાસ, પ્રસન્નતા, એકાગ્રતા અનુભવાય છે.
વર્ણ એટલે અક્ષર અને અક્ષરોનો સમૂહ એટલે શબ્દ. મુનિએ ચૈત્યવંદન, પ્રતિક્રમણ, ગુરુવંદના, પડિલેહણ વગેરે ક્રિયાઓ કરતી વખતે બોલવાનાં સૂત્રો સ્પષ્ટ ઉચ્ચાર સાથે દોષરહિત બોલવાં જોઈએ. એથી બોલનાર અને સાંભળનાર બંનેનો ભાવોલ્લાસ વધે છે.
અર્થ એટલે શબ્દોમાં રહેલો વિચાર, ભાવ ઇત્યાદિ. જ્યારે સૂત્રો ઉચ્ચારાતાં હોય ત્યારે સાથે સાથે એના અર્થનું ચિંતન ચાલવું જોઈએ કે જેથી ઉચ્ચારણ માત્ર યંત્રવત્ બની ન જાય. આલંબન એટલે ચિત્તને જોડવા માટે આધાર અથવા નિમિત્તરૂપ વિષય. એમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org