________________
આ ગ્રંથો ઉપરાંત, ઐન્દ્રસ્તુતિઓ, ઉપદેશરહસ્ય, આરાધક-નિરાધકચતુર્ભગી, આદિજિન સ્તવન, તત્ત્વવિવેક, તિન્વયોક્તિ, ધર્મપરીક્ષા, જ્ઞાનાર્ણવ, અસ્પૃશ ગતિવાદ, પંચનિગ્રંથિપ્રકરણ, પરમજ્યોતિ–પંચવિશિકા, પરમાત્મ-પંચવિશિકા, પ્રતિમા સ્થાપનન્યાય, ફલાફલ વિષયક પ્રશ્નોત્તર, ભાષારહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, મુક્તાશક્તિ, યતિદિનચર્ચા પ્રકરણ, વૈરાગ્યકલ્પલતા, શ્રી ગોડી પાર્શ્વ સ્તોત્ર, વિજયપ્રભસૂરિસ્વાધ્યાય, શંખેશ્વરપાર્થસ્તોત્ર, સમીકાપાર્થસ્તોત્ર, સામાચારી પ્રકરણ, સ્તોત્રાવલિ ઇત્યાદિ મૌલિક ગ્રંથોની રચના શ્રી યશોવિજયજીએ કરેલી છે. આ ઉપરાંત તેમણે દિગમ્બરાચાર્ય સમંત ભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી ઉપર વિવરણ, કર્મપ્રકૃતિ બૃહ ટીકા, કર્મપ્રકૃતિ લધુ ટીકા, તત્ત્વાર્થવૃત્તિ, દ્વાદશાર ચક્રોદ્ધાર વિવરણ, ધર્મસંગ્રહ ટિપ્પણ, પાતંજલ યોગસૂત્રવૃત્તિ, યોગવિંશિકા વિવરણ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયવૃત્તિ, ષોડશકવૃત્તિ, સ્વપરિજ્ઞા પદ્ધતિ ઇત્યાદિ ટીકાગ્રંથોની રચના કરી છે.
શ્રી યશોવિજયજીના કેટલાક ગ્રંથો હજુ પણ અનુપલબ્ધ છે. અધ્યાત્મબિંદુ, અધ્યાત્મોપદેશ, અલંકારચૂડામણિ ટીકા, ન્યાયબિંદુ, મંગલવાદ, વેદાંતનિર્ણય વગેરે એમના પચ્ચીસ કરતાંયે વધુ ગ્રંથોના ઉલ્લેખો મળે છે, જે હાલ અનુપલબ્ધ છે. આમ, ઉપલબ્ધ, અનુપલબ્ધ, મૌલિક ગ્રંથો અને ટીકાગ્રંથો મળી લગભગ ૮૦ કરતાંય વધુ ગ્રંથોની સંસ્કૃતમાં અને અર્ધમાગધીમાં મહોપાધ્યાયજીએ રચના કરી છે, જે પરથી એમની વિદ્વતા અને પ્રતિભાનો સારો પરિચય આપણને મળી રહે છે. એમણે દિગમ્બરાચાર્ય સમંત ભદ્ર કૃત અષ્ટસહસ્ત્રી', પતંજલિકત યોગસૂત્ર', મમ્મટકૃત કાવ્યપ્રકાશ', જાનકીનાથ શર્માકૃત “ન્યાય સિદ્ધાંત મંજરી' ઇત્યાદિ ગ્રંથો ઉપર વૃત્તિ લખી છે. તથા યોગવાસિષ્ઠ, ઉપનિષદ્, શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી આધારો આપ્યા છે, જે તેમની સંપ્રદાયથી પર એવી ઉદાર અને ગુણગ્રાહી દૃષ્ટિનો પરિચય કરાવે છે. ગુર્જર ભાષામાં રચનાઓ ઉપાધ્યાયજી મહારાજે ગુજરાતી ભાષામાં પણ ઘણી રચનાઓ કરી છે, જે
45
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org