________________
એમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં મહત્વનું સ્થાન અપાવે છે. ગુજરાતીમાં એમણે રાસ, સ્તવન, સક્ઝાય, પદ, ગીત, સંવાદ, બાલાવબોધ, હરિયાલી ઇત્યાદિ પ્રકારો ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવીને ગુજરાતી સાહિત્યને અનોખું પ્રદાન કર્યું છે. રાસકૃતિઓ
શ્રી યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં રચેલી સૌથી મોટી અને મહત્ત્વની કૃતિ તે જંબૂસ્વામીરાસી છે. પાંચ અધિકારની બધીમળીને ૩૭ ઢાળમાં લખાયેલી આ કૃતિની રચના કવિએ ખંભાતમાં વિ. સં. ૧૭૩૯માં કરી હતી. રાસના કથાનક માટે એમણે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર”ના પરિશિષ્ટપર્વમાં આપેલી જંબૂસ્વામીની કથાનો આધાર લીધો છે. આ રાસમાં ભાષાલાઘવ સહિત પ્રસંગોનું અને પાત્રોનું અલંકારયુક્ત સચોટ, માર્મિક નિરૂપણ થયું છે.
શ્રી યશોવિજયજીએ સત્તર ઢાળની ૨૮૪ ગાથામાં લખેલો દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયનું પદ્યમાં-કવિતામાં નિરૂપણ કરતી, મધ્યકાલીન સાહિત્યની એક અત્યંત મહત્ત્વની અને પંડિતોને પડકારરૂપ કૃતિ છે. આ રાસની સં. ૧૭૧૧ ની શ્રી યશોવિજયજીના ગુરુ શ્રી નયવિજયજીના હસ્તે સિદ્ધપુરમાં લખાયેલી હસ્તપ્રત મળે છે. એટલે આ રાસની રચના સં. ૧૭૦૮ની આસપાસ થઈ હોય એવું માનવામાં આવે છે. આ રાસમાં કવિએ તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મધ્યકાલીન કવિ અખાની યાદ અપાવે એ પ્રકારની આ સમર્થ કૃતિ છે. એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં લક્ષણો, સ્વરૂપો ઇત્યાદિનું નિરૂપણ, અનેક મતમતાંતર અને દૃષ્ટાંતો તથા આધાર ગ્રંથોના ઉલ્લેખો સાથે કરવામાં આવ્યું છે. આ રાસ ઉપરથી પછીના કાળમાં દિગંબર કવિ ભોજરાજીએ સંસ્કૃત ભાષામાં “દ્રવ્યાનુયોગ તર્કણા' નામનું વિવરણ લખ્યું છે એ જ એની મહત્તા દર્શાવવા માટે બસ છે.
“જંબૂસ્વામી રાસ’ અને ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' એ બે સમર્થ રાસકતિઓ ઉપરાંત શ્રી વિનયવિજયજીકૃત “શ્રીપાળ રાજાનો રાસ પૂરો કરવામાં શ્રી
46
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org