________________
યશોવિજયજીએ કરેલું યોગદાન ચિરસ્મરણીય છે.
સ્તવનો
સ્તવનના કાવ્યપ્રકારના ક્ષેત્રે પણ યશોવિજયજીનું અર્પણ ઘણું જ મહત્ત્વનું છે. મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતા સાહિત્યમાં ચોવીસી (ચોવીસ તીર્થંકરો વિશે ચોવીસ સ્તવનની રચના) લખનાર ઘણા કવિઓ છે. પરંતુ કોઈ પણ કવિએ એક કરતાં વધુ ચોવીસી લખી નથી. શ્રી યશોવિજયજી જ એક માત્ર એવા કવિ છે કે જેમણે એક કે બે નહિ, પણ ત્રણ ચોવીસી લખી છે. ત્રણ ચોવીસી ઉપરાંત એમણે એક વસી (વીસ વિહરમાન જિનેશ્વરોનાં વીસ સ્તવનો)ની રચના કરી છે. તદુપરાંત એમનાં મોટાં સ્તવનોમાં સવાસો ગાથાનું, દોઢસો ગાથાનું અને સાડા ત્રણસો ગાથાનું એમ ત્રણ સ્તવનો મળે છે, જે અનુક્રમે નીચે પ્રમાણે છેઃ
શ્રી સીમંધરસ્વામીની વિનંતીરૂપ નય-રહસ્યગર્ભિત સ્તવન (૧૨૫ ગાથા), (૨) કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ હુંડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને (૩) સિદ્ધાંતવિચાર રહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન (૩૫૦ ગાથા). એ ત્રણે
સ્તવનો એનાં નામ કરતાં એની ગાથાની સંખ્યાથી વધુ જાણીતા બની ગયેલાં છે. કવિનાં બીજાં મોટાં સ્તવનોમાં મૌન એકાદશીનું સ્તવન, (દોઢસો કલ્યાણકનું સ્તવન-બાર ઢાળની ૬૩ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામીનું સ્તવન છે.
ત્રણ ચોવીસીઓમાંની એકમાં કવિએ તીર્થકરોનાં માતા, પિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેનો મુખ્યત્વે પરિચય આપ્યો છે. બીજી બેમાં તીર્થકરોના ગુણોનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કરીને, પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનંતી કરી છે. કવિની આ રચનાઓમાં સ્થળે સ્થળે આપણને એમની ઊંચી કવિતાશક્તિનાં દર્શન થાય છે. એમનાં સ્તવનો આજે પણ ભાવોલ્લાસપૂર્વક ગવાય છે.
વિહરમાન વીસ જિનેશ્વરોનાં વીસ સ્તવનોમાં એમણે જિનેશ્વરો પ્રત્યેની પોતાની ચોલ મજીઠના રંગ જેવી પાકી પ્રીતિ વ્યક્ત કરી છે, અને પ્રભુની કૃપાની યાચના કરતાં કરતાં તેઓ, સામાન્ય રીતે, છેલ્લી એક-બે કડીમાં તે તે જિનેશ્વરોના
47
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org