________________
૨ ૨
જ્ઞાનસાર
નીવડે છે. ઇન્દ્રિયોના ભોગવટામાં સુખશાન્તિ છે એવો ભ્રમ વધુ વખત ટકતો નથી. ઇન્દ્રિયો ક્ષીણ થતાં જીવ થાકી જાય છે, હારી જાય છે. એક વાર ચૈતન્યમાં વિશ્રાન્તિ કરવાનો અનુભવ થાય તો એવો અનુભવ કરવાનું વારંવાર મન થશે જ. પ્રબળ પુરુષાર્થે એમાં મગ્નતા પ્રાપ્ત થાય છે, પણ અંતે તો એ જ કરવા યોગ્ય છે એવી પ્રતીતિ થાય છે. [૧૦] યસ્ય જ્ઞાનસુઘાસિભ્ય પરબ્રહ મનાતા |
વિષયા તરસંચારસ્તસ્ય ફાતીહત્નોપમ: | ૨ | ૨ | [શબ્દાર્થ =જેને; જ્ઞાનસુધાસભ્યો=જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં; પરબ્રહણિ પરમાત્મામાં માનતા મગ્નતા, લીનતા, વિષયાન્તર=બીજા વિષયમાં; સંવર:= પ્રવૃત્તિ કરવી; તસ્વ=તેને; હતા=હલાહલ ઝેર; ૩૫૫:=જેવી]
અનુવાદ-જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર એવા પરમાત્મામાં જેની મગ્નતા છે તેને બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવી તે ઝેર સમાન લાગે છે. (૨)
વિશેષાર્થ પરબ્રહ્મ એટલે પરમાત્મસ્વરૂપ જેઓને પોતાના જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર જેવા શુદ્ધ આત્મસ્વરૂપમાં મગ્નતા અનુભવાય છે, આત્મા એ જ પરમાત્મા છે એવી ઉચ્ચ કોટિની અનુભૂતિ થાય છે ત્યારે તેઓને વિષયાન્તરસંચાર એટલે કે બીજા વિષયોમાં પ્રવૃત્તિ કરવી તે હલાહલ ઝેર જેવી લાગે છે.
અહીં બે અંતિમ કોટિની, પરસ્પર વિરુદ્ધ એવી દશા બતાવવામાં આવી છે–એક અમૃતના આસ્વાદ જેવી અને બીજી ઝેરના અનુભવ જેવી. જ્ઞાનને સુધા-સિંધુ એટલે કે અમૃતના સમુદ્રનું રૂપક આપવામાં આવ્યું છે. આવા સમુદ્રમાં તરવા પડેલા અને એ પ્રવૃત્તિમાં મગ્ન બનેલા જીવને એમાંથી બહાર નીકળવું ગમતું નથી. બહારની સાંસારિક પ્રવૃત્તિ પ્રત્યે એને અણગમો, અભાવ થાય છે. વિષયાન્તર એને હલાહલ ઝેર સમાન લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org