________________
૨. મનાષ્ટક
સમ્યક્ શ્રુતજ્ઞાન મહાસાગર જેવું છે. એમાં નિમજ્જન કરનાર સમ્યગ્દષ્ટિ મહાત્માઓને અમૃતાનુભવ થાય છે. વળી જ્ઞાન આત્માનો ગુણ છે. આત્માનો જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞાન અમૃતમય છે. આત્મસ્વભાવની રમણતામાં મગ્નતા આવે ત્યારે આવો અમૃતાનુભવ થાય છે. જેમ માલતીના ફૂલના રસમાં મગ્ન બનેલા ભ્રમરને કેરડાના કે બાવળના વૃક્ષ પર બેસવું ગમતું નથી, તેવી રીતે જ્ઞાનામૃતના અનુભવી મહાત્માઓને બીજી કોઈ સાંસારિક પ્રવૃત્તિઓમાં રસ પડતો નથી. પૌદ્ગલિક રસો નીરસ લાગે છે. મિષ્ટ ભોજન, મધુર સંગીત, અત્તરનો મઘમઘાટ, સકામ સ્પર્શ, વિવિધ પ્રકારની ક્રીડાઓ કે સંસારની અન્ય કોઈ પ્રવૃત્તિ કે એવું કશું જ કરવું ગમતું નથી. તેઓ ખાતાપીતા કે હરતાફરતા હોય તો પણ તેમાંથી તેમનો કર્તાભાવ કે ભોકતાભાવ નીકળી ગયો હોય છે.
સામાન્ય માણસને આવી વાત અતિશયોક્તિ ભરેલી લાગે, પરંતુ જેઓએ જાતે આવી મન્નતાનો અનુભવ કર્યો હોય છે તેઓને આ વાત એકદમ યથાર્થ લાગે છે.
[૧૧] સ્વમાવસુદ્ધમનસ્ય જ્ઞાત્તત્ત્વાવલોહિન:।
૨૩
ર્તૃત્વ નાન્યમાવાનું સાક્ષિત્વમવશિષ્યતે ।। ૨ ।। રૂ।।
[શબ્દાર્થઃ સ્વમાવ=આત્મભાવ; સુહમનસ્ય=આનંદમાં મગ્ન થયેલાને; जगतत्त्वावलोकिनः 1:=જગતના તત્ત્વને (સ્વરૂપને) જોનારને; તૃત્વ=કર્તાપણું; ન=નથી; અન્યમાવાના=અન્ય ભાવોનું; સાક્ષિત્વમ્=સાક્ષીપણું, દૃષ્ટાભાવ; અવશિષ્યતે=શેષ, બાકી રહે છે.]
Jain Education International
અનુવાદ-આત્મભાવના સુખમાં મગ્ન થયેલા અને જગતના સ્વરૂપનું અવલોકન કરનારને અન્ય ભાવોનું કર્તાપણું નથી, પરંતુ સાક્ષીપણું બાકી રહે છે. (૩) વિશેષાર્થ : શ્રી આનંદઘનજી મહારાજે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org