________________
૨૪
ગાયું છેઃ
સયલ સંસા૨ી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે.
આખો સંસાર ઇન્દ્રિયસુખમાં રચ્યોપચ્યો છે, પરંતુ મુનિઓ આત્મામાં રમણતા કરે છે. સંસારના જીવોમાં મિથ્યાત્વ ભારોભાર પડેલું છે. જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓમાંથી પણ સર્વવિરતિધર તો કેટલા બધા ઓછા છે ! જ્યાં સુધી સર્વવિરતિધરપણું અથવા મુનિપણું આવતું નથી ત્યાં સુધી ગૃહસ્થપણામાં કોઇક વિરલા જ સાક્ષીભાવથી જીવન જીવી શકે, પરંતુ બીજા એ દિશામાં પુરુષાર્થ અવશ્ય કરી શકે. વ્યવહારમાં અનેક કાર્યો ક૨વાં પડે છે, સંબંધો સાચવવા પડે છે, કર્તવ્યો બજાવવાં પડે છે. એવે વખતે વ્યવહારની ભાષા પ્રયોજાય છે અને વ્યવહારથી કર્તુત્વભાવ વ્યક્ત થઈ જાય છે.
જ્ઞાનસાર
મુનિપણું આવે એટલે પોતાનાં ઘ૨-મકાન હોય નહિ, સાંસારિક સંબંધો હોય નહિ, લગ્નાદિ વ્યાવહારિક પ્રસંગો સાચવવાના હોય નહિ, ચીજવસ્તુઓનું માલિકીપણું હોય નહિ. સ્વાધ્યાય, ધ્યાન વગેરે માટે એકાંત ઘણું મળે. અસંગપણું પણ કેળવાય. એવે વખતે સાધક મુનિને આત્મરમણતા માટે અવકાશ મળતાં સ્વભાવનું-આત્મભાવનું સુખ કેવું હોય છે તે અનુભવવા મળે. આ અલૌકિક આનંદની અનુભૂતિ એવી હોય છે કે જે એને એ દિશામાં વારંવાર વાળે છે.
ન
મુનિઓને બીજાં કોઈ ઉપકરણો કે સંબંધો ન હોય તો પણ દેહધર્મો તો હોય છે, હર્ષ વગેરે ભાવો રહે છે. એટલે એમાં કર્તૃત્વનો ભાવ આવવાનો સંભવ છે. પોતાનો દેહ તો નિમિત્ત માત્ર છે અને દેહ પણ પુદ્ગલ સ્વરૂપ છે એવા ભાવમાં સ્થિર રહેવાય તો કર્તૃત્વભાવ નીકળી જાય છે. શાસ્ત્રના અભ્યાસથી અને તત્ત્વના અવલોકનથી જ્ઞાનદૃષ્ટિ પ્રાપ્ત થતાં દેહનાં કાર્યો કરવા છતાં કર્તાભાવ નીકળી જાય છે.
જેમ જેમ બાહ્ય સ્થૂલ કાર્યોમાંથી કર્તૃત્વભાવ નિષ્ઠાપૂર્વક કાઢી નાખવાનો મહાવરો વધતો જશે તેમ તેમ પોતે માત્ર નિમિત્ત છે, ઘટના તો એ પ્રમાણે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org