________________
૨. મનાષ્ટક
થવાની હતી એવા ભાવ આવશે. આ મહાવરો વધતાં સૂક્ષ્મ ક્રિયાઓમાંથી પણ કર્તૃત્વ ભાવ નીકળવા લાગશે. દ્રવ્યકર્તૃત્વનો ઇન્કાર કરવાનું કદાચ સરળ ગણાય, પણ ભાવકતૃત્વમાંથી નીકળી જવાનું એટલું સરળ નથી. તો પણ તે અશક્ય નથી, એવી દશા જેમ જેમ આવતી જશે તેમ તેમ જગતને તથા જગતના સર્વ વ્યવહારોને સાક્ષી ભાવથી જોવાનું પ્રાપ્ત થશે.
[૧૨] પરબ્રહ્મળ મનસ્ય ઋથા પૌદ્ગનિળી થા ।
૨૫
સ્વામી ધામીરોન્માવા: ારા દ્વારાવા: વર્ષેર્ ॥૪॥
[શબ્દાર્થ: પરબ્રહ્મ[િ=પરબ્રહ્મમાં, પરમાત્મામાં; મનસ્વ=મગ્ન થયેલાને; řથા=ની૨સ; પૌદ્ગતિ=પુદ્ગલ સંબંધી; જ્યા=વાત; વન=ક્યાં; અમી=આ; વામી =સુવર્ણ, ધનસંપત્તિ; ૐન્માવા:=અભિમાન; RĪ=ચિત્તને આંજી નાખે એવા; વારા=સ્ત્રી; આવરા:=(સ્ત્રીના) આદરો; વ=ક્યાં; ==અને.]
અનુવાદ-પરમાત્મ સ્વરૂપમાં તન્મય થયેલાને પુદ્ગલ વિશેની વાતો નીરસ લાગે છે. તો પછી તેને ધનનું અભિમાન અને સ્ત્રીઓનો આદર ક્યાંથી હોય ? (૪)
Jain Education International
વિશેષાર્થ : જે યોગીમહાત્માઓ પરબ્રહ્મમાં મગ્ન થયેલા છે તેઓને હવે પુદ્ગલ સંબંધી કથામાં રસ પડતો નથી. જે વાતોમાં સંસારી ભોગીજનોને અતિશય રસ પડે છે અને એ સાંભળવા માટે કે અનુભવવા માટે ચટકો લાગે છે એવી વાતોમાં આવા મુનિઓને નીરસતા લાગે છે, કંટાળો આવે છે. એવી વાતો પ્રત્યે તેમનું ચિત્ત ઉદાસીન રહે છે કે નિવૃત થઈ જાય છે.
સામાન્ય સંસારી યુવાન માણસને પોતાના જીવનને સાર્થક ક૨વા માટે મુખ્ય બે વસ્તુ મેળવવા જેવી જણાય છે. એક તે ચામીકર એટલે સુવર્ણ અર્થાત્ ધનની કમાણી અને બીજું તે રૂપવતી રમણીની પ્રાપ્તિ. સાંસારિક ભોગો ભોગવવા માટેનાં આ બે મોટાં આલંબનો છે. ધન, સુવર્ણાદિ સંપત્તિ મોટા પ્રમાણમાં
For Personal & Private Use Only
www.jainelibrary.org