________________
૮. ત્યાગાષ્ટક
૧ ૧૭.
આવો જ ફરક તાત્ત્વિક ધર્મસંન્યાસ અને અતાત્ત્વિક ધર્મસંન્યાસ વચ્ચે છે. તાત્ત્વિક ધર્મસંન્યાસ ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના, અર્થાત્ રત્નત્રયીના અભેદરૂપ પરિણામસ્વરૂપ છે. અતાત્ત્વિક ધર્મસંન્યાસ લાયોપથમિક જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદરૂપ પરિણામસ્વરૂપ છે.
તાત્વિક ધર્મસંન્યાસ અને અતાત્ત્વિક ધર્મસંન્યાસ વચ્ચેનો ભેદ બહુ સૂક્ષ્મ છે. એને યથાર્થ રીતે જો ન સમજવામાં આવે તો ગેરસમજ કે ભ્રમ થવાનો સંભવ રહે છે. દેવ અને ગુરુની ભક્તિ, સત્સંગ, પ્રવચનો ઇત્યાદિમાં “પર'નું આલંબન લેવાય છે. તીર્થકર ભગવાનના ગુણોનું અવલંબન એ પણ પરનું અવલંબન છે. એમાં અન્ય નિમિત્તનું અવલંબન લેવાય છે. લાયોપથમિક ભૂમિકાએ એ જરૂરી પણ છે, પણ એ અતાત્ત્વિક છે. એમાં સ્વસ્વરૂપમાં તન્મયતા નથી. એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીનો અભેદ નથી. તાત્ત્વિક ધર્મસંન્યાસ ચંદનની સુગંધ જેવો અંતર્ગત છે. એમાં અવલંબનની જરૂર નથી. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયીનો અભેદ છે. એમાં ક્ષાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે એકરૂપ છે. એમાં આત્મસ્વરૂપમાં સહજ તન્મયતા છે.
એટલા માટે ક્ષાયિકરૂપ તાત્ત્વિક ધર્મસંન્યાસ પર સાધકે જવું હોય તો ક્ષાયોપથમિકરૂપ અતાત્ત્વિક ધર્મસંન્યાસનો ત્યાગ કરવો જરૂરી છે, પરંતુ આ વાત બહુ સૂક્ષ્મતાથી સમજવાની જરૂર છે, નહિ તો ખોટો અર્થ થશે, ગેરસમજ અને ઉતાવળ થશે. સામાન્ય સાધકો માટેની આ વાત નથી.
કોઈને એમ કહેવામાં આવે કે જિનપૂજા, તીર્થંકર પરમાત્માની સ્તુતિ-ભક્તિ વગેરે છોડી દેવાં જોઈએ. વ્યાખ્યાન, સત્સંગ ઇત્યાદિનો પણ ત્યાગ કરવો જોઈએ તો માણસને તરત ગળે ન ઊતરે એવી વાત છે. પરંતુ અહીં આઠમા ગુણસ્થાનકની આ વાત છે. સમકિતી ગૃહસ્થો તો ચોથા-પાંચમા ગુણસ્થાનકે છે. સાધુ ભગવંતો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે રહે છે. ક્ષાયિક ભાવ, તાત્ત્વિક ધર્મસંન્યાસ આઠમે ગુણસ્થાનકે હોય છે. ત્યાં આત્મસ્વરૂપમાં એવી લીનતા હોય છે કે જિનસ્તુતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org