________________
૧ ૧૮
જ્ઞાનસાર
ઇત્યાદિ પરાવલંબી નિમિત્તો સ્વયમેવ છૂટી જાય છે, છોડવાં પડતાં નથી. [૬૧] ગુરુત્વે સ્વસ્થ નીતિ શિક્ષા સત્યેન ચાવતા
आत्मतत्त्वप्रकाशेन तावत् सेव्यो गुरूत्तमः ।। ८ ।। ५ ।। [શબ્દાર્થ ગુરુત્વ=ગુરુપણું; સ્વસ્થ=પોતાનું, નોવેતિ નતિ =ન ઉદય થાય, ન પ્રગટ થાય; શિક્ષાસભ્યને શિક્ષાના સમ્યક્ પરિણામથી વાવતા=જ્યાં સુધી; માત્મતત્વમાશેન=આત્મતત્ત્વના પ્રકાશથી, આત્મસ્વરૂપના બોધ વડે; તાવ=ત્યાં સુધી; સેવ્યો=સેવ્ય =સેવવા યોગ્ય છે; ગુરૂત્તમ:=ઉત્તમ ગુરુ.]
અનુવાદ-જ્યાં સુધી શિક્ષાના સમ્યક્ પરિણામથી આત્મસ્વરૂપના બોધ વડે પોતાના આત્મામાં ગુરુપણું ઉદયન પામે ત્યાં સુધી ઉત્તમ ગુરુ સેવવા જોઈએ. (૫)
વિશેષાર્થ : જેઓ મોક્ષમાર્ગના અભિલાષી છે અને સર્વવિરતિમય ચારિત્ર ગ્રહણ કરવા ઇચ્છે છે તેઓએ યોગ્ય પાપભીરુ ગીતાર્થ ગુરુભગવંત પાસે દીક્ષા લઈ ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. તેઓએ શાસ્ત્રજ્ઞાતા, ગુણસંપન્ન ગુરુ ભગવંત પાસે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા લેવી જોઈએ. જ્ઞાની ગુરુભગવંત પાસે અહિંસાદિ પંચ મહાવ્રતો, ક્ષમાદિ દસ પ્રકારનો યતિધર્મ, આઠ પ્રકારનાં કર્મ,
જીવનિકાય ઇત્યાદિનાં સ્વરૂપનું શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવું તે ગ્રહણ શિક્ષા. જેમ જેમ ગ્રહણશિક્ષા પ્રાપ્ત થતી જાય તેમ તેમ શુદ્ધ ભાવથી તેનું પરિપાલન કરવું, સેવન કરવું તે આસેવન શિક્ષા છે. શિષ્યમાં ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એ બંને સમ્યકપણે પરિણમવી જોઈએ. એમ થાય ત્યારે સંશય, વિપર્યાસાદિ દોષો નિર્મળ થાય છે. પરિણામે આત્મદર્શન થાય છે, આત્મસ્વરૂપનો અનુભવ થાય છે, આત્મપ્રકાશ ઉદય પામે છે.
આવી ઉત્કૃષ્ટ આંતરપરિણતિ થાય છે ત્યારે પોતાનામાં જ ગુરુપણાનો ઉદય થાય છે. એવું ગુરુપણું જ્યાં સુધી પોતાનામાં ન આવે ત્યાં સુધી જ્ઞાન, દર્શન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org