________________
૮. ત્યાગાષ્ટક
૧ ૧૯
અને ચારિત્રરૂપી રત્નત્રયીની પરિણતિવાળા, તત્ત્વના ઉપદેશક, દ્રવ્ય અને ભાવથી સર્વવિરતિધર, એવા જ્ઞાની ગુરુ ભગવંતની સેવા કરવી જોઈએ અને એમને સાક્ષાત્ કે મનોમન કહેવું કે તમારા ઉપદેશ અને માર્ગદર્શન દ્વારા મેં આત્માના અનુભવનો આનંદ અનુભવ્યો છે. તમારી કૃપાથી જ્યાં સુધી મને પરમાનંદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમારા ચરણનું શરણ હોજો! -
એટલા માટે ગુરુકુલવાસની આવશ્યકતા પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. ‘વિશેષ આવશ્યક ભાષ્યમાં કહ્યું છેઃ
नाणस्स होइ भागी थिरयरो दंसणे चरित्ते य ।
धन्ना आवकहाए गुरुकुलवासं न मुञ्चति ।। [પોતે જ્ઞાનના ભાગી થાય છે, દર્શન અને ચારિત્રમાં સ્થિર થાય છે, એટલા માટે ધન્ય માણસો જીવન પર્યન્ત ગુરુકુલવાસનો ત્યાગ કરતા નથી.]
આટલું અવશ્ય લક્ષમાં રહેવું જોઈએ કે સમર્થ ગુરુ ભગવંતની વિનયપૂર્વક ઉપાસનાથી જ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા આત્મસાત્ થાય છે. [૨] જ્ઞાનાવી રવિયોડપીણ: શુદ્ધસ્વસ્થપાઇ !
निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न च क्रिया ।। ८ ।। ६ ।। [શબ્દાર્થ જ્ઞાનાવાર યા=જ્ઞાનાચાર વગેરે આચારો; મ=પણ; :=ઇષ્ટ છે; શુદ્ધસ્વસ્વપલાવધિ=શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી નિવિન્ધ=વિકલ્પ રહિત; ચિન્તારહિત,પુન:=પણ; ત્યારે ત્યાગની અવસ્થામાં; ન
વિ7:=વિકલ્પ નથી; ન=નથી; =અને; (પાઠાંતર વા=અથવા;) ક્રિયા=ક્રિયા.]
અનુવાદ-જ્ઞાનાચાર વગેરે આચારો શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઇષ્ટ છે, પણ નિર્વિકલ્પ (વિકલ્પરહિત) ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી. (૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org