SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ વિશેષાર્થઃ જ્ઞાનાચાર, દર્શનાચા૨, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચાર અર્થાત્ પંચાચારના પાલનનું મહત્ત્વ સાધુજીવનમાં ઘણું છે. આ પંચાચાર એટલે પાંચ પ્રકારની ક્રિયા. હવે પ્રશ્ન એ થાય કે આ પાંચ પ્રકારની ક્રિયા ક્યાં સુધી ક૨વાની ? તો એનો ઉત્તર અહીં આપવામાં આવ્યો છે કે પ્રત્યેક આચારનું પાલન પોતપોતાના શુદ્ધ પદની અંતિમ કોટિ સુધી કરવાનું છે. એટલે કે આદર્શ સ્વરૂપના મુનિએ જ્ઞાનાચારને એના પાલન વખતે એમ કહેવું જોઈએ કે ‘હે જ્ઞાનાચાર ! જ્યાં સુધી કેવળજ્ઞાન અપાવવાનો તારો અનુગ્રહ મારા ૫૨ ન થાય ત્યાં સુધી હું તારી અખંડ સેવા નિર્મળ ભાવે, નિષ્ઠાથી કરતો રહીશ.’ જ્ઞાનાચારનું શુદ્ધ પદ તે કેવળજ્ઞાન છે. એવી રીતે દર્શનાચારનું સેવન જ્યાં સુધી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કરવાનું છે. એ જ પ્રમાણે સ્વરૂપરમણતારૂપી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચારિત્રાચારનું પાલન કરવાનું છે. તપાચારનું પાલન એના શુદ્ધ પદની પ્રાપ્તિ સુધી કરવાનું છે અને વીર્યાચા૨નું પાલન સંપૂર્ણ અનંત વિશુદ્ધ આત્મવીર્ય પ્રગટ થતાં સુધી ક૨વાનું છે. જ્ઞાનસાર આ ક્રિયા દૃઢ મનોબળથી ક૨વાની છે. સંકલ્પ વગરની ક્રિયા યથેચ્છ ફળ આપે નહિ. આ શુભોપયોગની દશા છે. જ્યાં સુધી આચારનું પાલન કરવાનું હોય ત્યાં સુધી વિધિનિષેધો હોય. અમુક ક૨વાનું અને અમુક નહિ. આવા સંકલ્પવિકલ્પો શુભોપયોગની દશામાં રહેવાના. એટલે જ્યાં સુધી પ્રત્યેક પદની પૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સવિકલ્પ દશા રહે છે. જ્યારે સિદ્ધિ થાય, અને આ ગ્રહણ કરવા યોગ્ય છે અને આ ત્યાગ કરવા યોગ્ય છે એવા વિકલ્પો રહે નહિ તથા હવે કશું કરવાનું રહે નહિ ત્યારે સંકલ્પ-વિકલ્પ ન રહેતાં એ નિર્વિકલ્પ દશા છે. આ વિકલ્પરહિત ત્યાગ દશા છે એમાં સ્વ-સ્વરૂપની તન્મયતા એવી હોય છે કે ત્યારે વીર્યની પ્રવૃત્તિરૂપ ક્રિયા પણ હોતી નથી. એક પ્રદેશમાં જવારૂપ વીર્યની ચલનાદિરૂપ કે પરિસ્પંદનારૂપ, ગ્રહણ ક્રિયા હોતી નથી. એટલે પંચાચારના પ્રત્યેકના શુદ્ધપદની પ્રાપ્તિ પછી વિકલ્પો પણ હોતા નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy