________________
૮. ત્યાગાષ્ટક
૧ ૨ ૧
અને ક્રિયા પણ હોતી નથી. [૩] યોગાસંચાલતસ્યાથી યોનિપ્પરિવનસ્યનેત્ |
इत्येवं निर्गुणं ब्रह्म परोक्तमुपपद्यते ।। ८ ।। ७ ।। [શબ્દાર્થ યોરાસંન્યાસ: યોગનો સંન્યાસ કરવાથી, રોધ કરવાથી ત્યા ત્યાગી થયેલો; યોગા=યોગોનો; આપ પણ; અવિના=બધા; ત્યતત્રત્યાગ કરે તિ=એમ; પવષ્ણએ રીતે; નિબં=નિર્ગુણ, ગુણરહિત; બ્રહ્મ=આત્મસ્વરૂપ; રોહતં બીજાએ કહેલ; ૩૫૫તે ઘટે છે.]
અનુવાદ–યોગનો સંન્યાસ કરવાથી ત્યાગી થયેલો બધા યોગોનો પણ ત્યાગ, કરે. આમ એ રીતે બીજાએ (અન્ય દર્શનોએ) કહેલ “નિર્ગુણ બ્રહ્ય' પણ ઘટે છે. (૭) વિશેષાર્થ: સામર્થ્યયોગના બે ભેદ બતાવવામાં આવ્યાઃ (૧) ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. ધર્મસંન્યાસ કર્યા પછી જ્ઞાની મહાત્મા યોગસંન્યાસ કરે છે. સંન્યાસ એટલે ત્યાગ. મન, વચન અને કાયાના અયોગ રૂપ આ યોગસંન્યાસ ચૌદમા ગુણસ્થાનકે હોય છે. યોગનિરોધની ક્રિયા તેરમાં ગુણસ્થાનકના અંતે થાય છે.
જીવ ઉત્તરોત્તર કેવો ત્યાગ કરતો આવે છે તેનો ક્રમ આ અષ્ટકમાં બતાવવામાં આવ્યો છે. સર્વવિરતિધર સાધુ થયા પછી આત્મા ઔદયિક ભાવોનો ત્યાગ કરી ક્ષાયોપથમિક ભાવોમાં આવે છે, પછી ક્ષાયોપથમિક ભાવોનો ત્યાગ કરી ક્ષાયિક ભાવમાં આવે છે. પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમા ગુણસ્થાનકે રહે છે. હવે ચૌદમા ગુણસ્થાનકે તે સર્વ યોગોનો ત્યાગ કરે છે. તે અયોગી કેવલી બને છે. આ બીજો યોગસંન્યાસ છે. પરંતુ આ બીજો યોગસંન્યાસ કરતાં પહેલાં જીવ આયોજયકરણ (આવર્જીકરણ) કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org