SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર (સત્સંગથી) ઉત્પન્ન થયેલા; લાવોપરામિષા:=Rયોપશમથી પ્રાપ્ત થયેલા; મ=પણ; પ્રાપ્ય=પ્રાપ્ત કરીને; વન્દ્રનાWામ=ચંદનના ગંધ સમાન; ધર્મસંચા=ધર્મ સંન્યાસને; ૩ત્તમ=શ્રેષ્ઠ.. અનુવાદ-ચંદનના ગંધ સમાન ઉત્તમ ધર્મસંન્યાસ પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થયેલા ક્ષાયોપથમિક ધર્મો પણ ત્યાજવા યોગ્ય છે. (૪) વિશેષાર્થ: પૂર્વના શ્લોકમાં અતાત્ત્વિક ધર્મસંન્યાસ વિશે કહેવામાં આવ્યું. આ શ્લોકમાં તાત્ત્વિક ધર્મસંન્યાસનું સ્વરૂપ સંક્ષેપમાં સમજાવવામાં આવ્યું છે. તાત્ત્વિક ધર્મસંન્યાસ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ક્ષાયોપથમિક ધર્મો નૈમિત્તિક કે આંશિક હોવાથી ત્યાજ્ય બને છે અને ક્ષાયિક ધર્મો પ્રગટ થાય છે. તાત્ત્વિક ધર્મસંન્યાસ આઠમે ગુણસ્થાનકે ક્ષપકશ્રેણીમાં હોય છે. યોગદષ્ટિ સમુચ્ચય'માં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છેઃ द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । [બીજા અપૂર્વકરણે પ્રથમ તાત્ત્વિક ધર્મસંન્યાસ થાય છે.] ધર્મસંન્યાસમાં બીજો તાત્ત્વિક ધર્મસંન્યાસ બીજા અપૂર્વકરણે થાય છે. ગુણસ્થાનકમાં અપૂર્વકરણ બે વાર થાય છે. પ્રથમ અપૂર્વકરણ તે સમ્યકત્વની પ્રાપ્તિનું છે. તે ચોથા ગુણસ્થાનકે થાય છે. બીજું અપૂર્વકરણ આઠમા ગુણસ્થાનકે થાય છે. ઉત્તમ તાત્વિક ધર્મસંન્યાસને બાવનાચંદનની સુગંધની સાથે સરખાવવામાં આવે છે. સુગંધી તેલ, સુગંધી સાબુ, સુગંધી શરબતો કે અન્ય સુગંધી પદાર્થોમાં તે તે પ્રકારની સુગંધ ભેળવવામાં આવે છે. એમાં કોઈક મેળવવાનું કાર્ય કરનારની અપેક્ષા રહે છે. આમ, નિમિત્ત મળે તો જ એ પદાર્થ સુગંધી થાય. પરંતુ બાવના ચંદનમાં સુગંધ અન્તર્ગત રહેલી છે. એ એનો સ્વભાવ છે, એનો સહજ ગુણધર્મ છે. એ સુગંધ કુદરતી રીતે રહેલી છે. કોઈએ એમાં ભેળવી નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy