SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ત્યાગાષ્ટક કરવા જોઈએ. સંસારમાં પરિભ્રમણ કરાવનાર વિભાવ દશાનો ત્યાગ કરીને એટલે કે પદ્રવ્ય અને પરભાવ છોડીને એણે દર્શન, જ્ઞાન, અને ચારિત્રરૂપી રત્નત્રયીના આરાધક બનવું જોઈએ. ગ્રંથકારશ્રીએ આ શ્લોકની પોતે લખેલી ટીકામાં ઔદિયક અને ક્ષાયોપશમિક ભાવની વિચારણા કરી છે. આત્માના પાંચ ભાવ બતાવવામાં આવે છેઃ (૧) ઔદયિક, (૨) ઔપશમિક, (૩) ક્ષયોપશમિક, (૪) ક્ષાયિક અને (૫) પારિણામિક. એમાં કર્મોના ઉદયથી થયેલી આત્માની દશા તે ઔયિક ભાવ. ક્ષાયોપશમિક ભાવમાં ઉદયમાં નહિ આવેલાં કર્મોનો ઉપશમ થાય છે અને ઉદયમાં આવવા યોગ્ય કર્મોનાં અંશોનો ક્ષય થાય છે. સાધકે આગળ ઉપર આ ક્ષાયોપશમિક ભાવનો પણ ત્યાગ કરવાનો હોય છે. ૧૧૫ પૂર્વાચાર્યોએ ત્રણ પ્રકારના યોગ કહ્યા છે ઃ (૧) ઇચ્છાયોગ એટલે ધર્મ આરાધવાની ઇચ્છા, (૨) શાસ્ત્રયોગ એટલે કે શાસ્ત્રાનુસાર ધર્મવ્યાપાર અને (૩) સામર્થ્યયોગ એટલે કે ધર્મવ્યાપારમાં સામર્થ્ય. સામર્થ્યયોગના પણ બે ભેદ છેઃ (૧) ધર્મસંન્યાસ અને (૨) યોગસંન્યાસ. એમાં ધર્મસંન્યાસ પણ તાત્ત્વિક અને અતાત્ત્વિક એમ બે પ્રકારનો કહ્યો છે. અતાત્ત્વિક ધર્મસંન્યાસ એટલે પ્રાપ્ત થયેલા સંબંધોનો ત્યાગ કરીને ધર્મના માર્ગે વળવું. ક્ષાયોપશમિક ગુણોનો ત્યાગ તે તાત્ત્વિક ધર્મસંન્યાસ કહેવાય છે. યોગસંન્યાસ એટલે શૈલેશી અવસ્થામાં યોગનો નિરોધ. અહીં ગૃહસ્થને ગૃહત્યાગ કરી, કૌટુબિંક સંબંધો છોડીને દીક્ષા લઈ સર્વવિરતિધર મુનિ બનવાની ભલામણ ક૨વામાં આવી છે. [૬૦] ધર્માસ્યાખ્યા: સુસંગોત્ત્વા: ક્ષાયોપમિા અત્તિ । प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् ।। ८ ।। ४॥ [શબ્દાર્થ: ધર્માં:=ધર્મો; ત્યાન્યા:=ત્યજવા યોગ્ય; સુસંસ્થા:=સુસંગથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy