________________
૧૧૪
[૫૯] હ્રાન્તા મે સમલૈવૈળા જ્ઞાતયો મે સમક્રિયા: ।
જ્ઞાનસાર
बाह्यवर्गमिति त्यक्त्वा धर्मसंन्यासवान् भवेत् ।। ८ ।। ३ ।।
[શબ્દાર્થ: હ્રાન્તા=વહાલી સ્ત્રી; મે=મારે; સમતા=સમતા, સમત્વ, સમભાવ, રાગદ્વેષરહિતપણું; વ્=જ; હ્રા=એક; જ્ઞાતય:=જ્ઞાતિબંધુઓ, સગાવહાલાં; મે=મારે; સમયિા:=સરખી ક્રિયાવાળા, સરખા આચારવાળા (સાધુઓ); વાઘવf=બાહ્ય વર્ગને; ત્યવત્વા=છોડીને; ધર્મસંન્યાસવાન્=ધર્મસંન્યાસવાળો; ભવેત્ થાય.
અનુવાદ–‘સમતા એ જ એક મારી વહાલી પત્ની છે; સમાન આચારવાળા (સાધુઓ) મારા જ્ઞાતિબંધુઓ છે.’-આ પ્રમાણે બાહ્યવર્ગને છોડીને ધર્મસંન્યાસવાળો થાય. (૩)
વિશેષાર્થ : કુટુંબપરિવારવાળો ગૃહસ્થ જ્યારે ગુરુ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે પોતાની પ્રિય પત્નીનો ત્યાગ કરે છે. સાથે સાથે માતાપિતા, બંધુ ભગિની, સગાંસંબંધી, જ્ઞાતિજનો ઇત્યાદિ બધાંનો પણ ત્યાગ કરે છે.
Jain Education International
જો વ્યક્તિએ સાચી નિષ્ઠા અને સમજણથી દીક્ષા લીધી હોય તો બાહ્ય પરિવારને છોડવા છતાં તે કશું ગુમાવતો નથી, કારણ કે રૂપકશૈલીએ એને એવો જ અંતરંગ સાચો પિરવાર મળી રહે છે. હવે સમતા એની કાન્તા હોય છે. અર્થાત્ એની વહાલી સ્ત્રી હોય છે. સમાન આચારવાળા સાધુઓ તે બંધુઓ તથા સ્વજનપરિવારના સભ્યો હોય છે. હવે બાહ્ય સંબંધોનો ત્યાગ થયો અને આત્યંત૨ સંબંધો ચાલુ થયા. બાહ્ય સંબંધો થવાનું અને એમાં અનુરાગ ધરાવવાનું કારણ તે મોહનીય કર્મનો ઉદય છે. ગૃહસ્થ જ્યારે ઘરનો ત્યાગ કરી પંચ મહાવ્રત ધારણ કરી મુનિ બને છે ત્યારે તે ગૃહસ્થ ધર્મનો ત્યાગી થાય છે એટલે કે ધર્મસંન્યાસવાળો થાય છે. હવે એણે ઔયિક ભાવોનો ત્યાગ કરી ક્ષાયોપશમિક ભાવો ધારણ
For Personal & Private Use Only
www.jainelibrary.org