________________
૨૮. નિયાગાષ્ટક
૩૭૩
આ પ્રશ્નોના ઉત્તરમાં ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે.
तवो जोइ जीवो जोइठाणं जोगा सुया शरीरं कारिसंगं ।
कम्मं एहा संजमजोग संती होमं हुणामि इसिणं पसत्थं ॥ | [તપ એ જ અગ્નિ છે. જીવ એ અગ્નિનું સ્થાન છે. મન, વચન અને કાયાના યોગો એ ઘી નાખવાની કડછી છે. શરીર એ તારૂપ અગ્નિને પ્રગટાવનાર સાધન છે. કર્મરૂપી કાષ્ઠ છે. સંયમ-વ્યાપાર એ શાન્સિપાઠ છે. હું ઋષિઓને પ્રશસ્ત એવો ભાવયજ્ઞ કરું છું.]
ભાવયજ્ઞ અથવા નિયાગનો આદર્શ અહીં રૂપકશેલીએ બતાવવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે હિંસક યજ્ઞોનું ઉચ્ચત્તમ અહિંસક યજ્ઞમાં રૂપાંતર કરીને ભારતીય સંસ્કૃતિમાં આમૂલ પરિવર્તન કરીને નવી પરંપરા ચાલુ કરી. [૨૧] પપર્ધ્વનિ નિમે જ્ઞાનય રતો મવા
સાવદ્ય વર્મય: કિં ભૂતિલામનયાડડવિનૈઃ In૨૮ાારા [શબ્દાર્થ : પદ્ઘનિ=પાપનો નાશ કરનાર; નામે=કામના રહિત; જ્ઞાનયજ્ઞ=જ્ઞાનયજ્ઞમાં; ૨:=આસક્ત; મ=થા; સીવદ =પાપસહિત; મૈયરે =કર્મયજ્ઞોથી; વિં=શું કામ છે; મૂતિજામનયા:=સુખની કામના વડે; મવિલૈ =મલિન.]
અનુવાદઃ (હે ચેતન!) પાપનો નાશ કરનાર, નિષ્કામ જ્ઞાનયજ્ઞમાં આસક્ત થા. ભૌતિક સુખની ઇચ્છા વડે મલિન, પાપયુક્ત કર્મયજ્ઞોનું શું કામ છે? (૨)
વિશેષાર્થ : મુનિ મહારાજને પંચ મહાવ્રત હોવાથી તેઓને ભૌતિક સુખ કામનાના આશયથી કોઈ યજ્ઞ કરવાના હોતા નથી. શ્રાવકો અન્ય ધર્મના પ્રભાવથી, આસપાસના લોકો સાથે દેખાદેખીથી, અંધશ્રદ્ધાથી ભૌતિક સુખ માટે યજ્ઞ કરે કે કરાવે તેવા લોકોને માટે તથા મુનિ મહારાજ માટે અહીં ભલામણ કરવામાં આવી છે. ભૌતિક યજ્ઞોમાં કેટલાક અન્ય ધર્મીઓ એવા હિંસક યજ્ઞ કરે છે કે જેમાં ગાય,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org