SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ જ્ઞાનસાર ભેંસ, પાડો, બકરી, ઘેટું, કૂકડો, ડુક્કરનો બલિ ચડાવવામાં આવે છે. ક્યાંક તો નાના બાળકનો કે મોટા માણસનો બલિ પણ અપાય છે જે હવે ગુનો ગણાય છે. વેદોમાં જાત જાતના યજ્ઞોની વાત આવે છે. . ત. મૂતિiામો પશુમાનમેત ! स्वर्गकामो अग्निं जुहुयात् । આવા કેટલાક યજ્ઞોમાં પશુ હોમવામાં આવે છે. યજ્ઞ કરનારા માંસાહારી અને મદ્યપાન કરનારા હોય છે. કેટલાકમાં હોમેલા પશુના પછી ટુકડા કરી પ્રસાદરૂપે વહેંચાય છે. આવા યજ્ઞો પાપમય અને સ્વાર્થરૂપ મલિનતાથી ભરેલા હોય છે. વર્તમાન સમયમાં આવા કેટલાક પાપમય યજ્ઞોનું પ્રમાણ ભારતમાં ઘણું ઘટી ગયું છે, તો પણ એવી ઘટનાઓ તો વારંવાર બને છે. કેટલાક પશુબલિ નથી હોમતા, પણ ઘી, અનાજ વગેરે હોમે છે. જેન ધર્મ પ્રમાણે આવા બધા યજ્ઞો પણ સાવદ્ય, એટલે કે પાપ-પ્રવૃત્તિ છે. એટલે સુખની ઇચ્છાથી કરેલા આવા યજ્ઞો હકીકતમાં તો જીવને સુખ આપવાને બદલે ભારે કર્મમાં બાંધે છે, જે ઉદયમાં આવતાં ભારે દુઃખ ભોગવવાં પડે છે. એટલે જ અહીં ઉપાધ્યાયજી મહારાજ વત્સલતાપૂર્વક ભલામણ કરે છે કે “ભાઈ ! તું આવા યજ્ઞો છોડીને એવા જ્ઞાનયજ્ઞોમાં રાગ કર, રસ લે કે જે પાપનો નાશ કરનાર હોય અને ભૌતિક સુખની કામના વગરના હોય.” [૧૯] વેdીમને શુદ્ધ કર્મયજ્ઞોપ યોનિ: ब्रह्मयज्ञ इतीच्छन्त: श्येनयागं त्यजन्ति किम् ।।२८।।३।। [શબ્દાર્થ વેદોસ્તત્વત્રિવેદમાં કહેલો હોવાથી; મન:શુદ્ધ=મનની શુદ્ધિ વડે; #ર્મયજ્ઞ કર્મયજ્ઞ; =પણ; યોનિ યોગીને; વ્રયા:=બ્રહ્મયજ્ઞ; તિ=એમ; રૃચ્છા:=ઇચ્છનારા, માનનારા; યેની શ્યનયજ્ઞને; ત્યગતિ ત્યજે છે; વિં=શા માટે.] અનુવાદઃ વેદોક્ત હોવાથી મનની શુદ્ધિ દ્વારા જ્ઞાનયોગીને કર્મયજ્ઞ પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy