SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. નિયાગાષ્ટક ૩૭૫ બ્રહ્મયજ્ઞરૂપ છે. એ પ્રમાણે માનનારા શ્યનયજ્ઞનો કેમ ત્યાગ કરે છે ? (૩) વિશેષાર્થ યજ્ઞમાં પશુઓ હોમનાર વેદનો આધાર આપે છે. વેદમાં કહ્યું છે મનશુદ્ધિ વડે કરેલો કર્મયજ્ઞ ( કે જેમાં પશુઓ હોમાય છે) તે યોગીઓ માટે બ્રહ્મયજ્ઞ બને છે. એટલે કર્મયજ્ઞ પાપરૂપ નથી. અજ્ઞાની માણસો સુખની ઇચ્છાથી કર્મયજ્ઞ કરે તો તેમાં તેઓ હેતુપૂર્વક હિંસા કરતા હોવાથી તે પાપરૂપ છે. પરંતુ આત્મજ્ઞાની યોગીઓ પશુવધવાળો કર્મયજ્ઞ કરે તો તે સકામ નથી અને હિંસારૂપ નથી. તેઓ ચિત્તની શુદ્ધિથી, હોમાતાં પશુઓ પ્રત્યે દ્વેષ વગર કર્મયજ્ઞ કરે છે માટે તે બ્રહ્મયજ્ઞ છે. વેદાંતીઓ કહે છે કે દ્વેષપૂર્વક પ્રાણીવધ કરે તો હિંસા છે. મીમાંસામાં કહ્યું છે, 'द्वेषपूर्वकं प्राणिवध एव हिंसा। વેદાંતીઓના આ વિધાનની સામે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે વેદમાં “શ્યનયાગ' કરવાનું પણ વિધાન છેઃ-શ્યામવરન્ યા તો તમે શ્યનયાગ કેમ કરતા નથી? શ્યન એટલે બાજપક્ષી. જેઓ શત્રુનો વધ કરવા ઇચ્છતા હોય તેઓએ શ્યનયાગ કરવો જોઈએ. પરંતુ ગમે તે કારણે શ્યનયાગ પછીથી પડતો મૂકવામાં આવ્યો છે. એ કરવા માટે પછીના શાસ્ત્રગ્રંથોએ મનાઈ ફરમાવી છે. વેદાંતીઓ તરફથી એમ દલીલ કરવામાં આવે કે શ્યનયજ્ઞમાં શત્રુને મારવાની દ્વેષબુદ્ધિ છે એટલે ચિત્તશુદ્ધિ રહેતી નથી. પરંતુ તેમના બધા જ યજ્ઞોમાં પશુઓ હોમવામાં આવે છે. એ બધામાં ચિત્ત શુદ્ધિ ક્યાં છે? વળી કોઈ એમ કહે કે અમે શુદ્ધ બુદ્ધિથી શ્યનયાગ કરવા માંગીએ છીએ તો પણ તે માટે આજ્ઞા નથી. વસ્તુતઃ યજ્ઞમાં પશુઓ હોમવાં એ કેવળ હિંસા છે. એટલે એવા યજ્ઞો યોગીઓથી કરી શકાય નહિ. [૨૦] બ્રહાયજ્ઞ: પરં વર્ષ પૃથથરિણ: पूजादि वीतरागस्य ज्ञानमेव तु योगिनः ।।२८।।४।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy