________________
૩૭૬
જ્ઞાનસાર
[શબ્દાર્થ ઃ વૃયજ્ઞ:=બ્રહ્મયજ્ઞ; પરં ઝર્મ કેવળ ક્રિયા દરસ્થિ=ગૃહસ્થનું;
ધારણ:=અધિકારી, પૂજ્ઞાવિ પૂજા વગેરે; વીતરી સ્થ=વીતરાગની; જ્ઞાનમે=જ્ઞાન જ; તુ=અને, પરંતુ; યોનિ:=યોગીને.]
અનુવાદક અધિકારી ગૃહસ્થને વીતરાગની પૂજા વગેરે કેવળ ક્રિયા બ્રહ્મયજ્ઞ છે, પરંતુ યોગીને તો જ્ઞાન જ બ્રહ્મયજ્ઞ છે. (૪)
વિશેષાર્થ : અહીં ગૃહસ્થની વાત કરવામાં આવી છે. મુનિઓના અધિકાર કરતાં ગૃહસ્થોનો અધિકાર જુદો છે. દરેક પોતાના અધિકાર પ્રમાણે, યોગ્યતા પ્રમાણે વિવેકપૂર્વક વર્તે તે ઇષ્ટ છે. એમ કહ્યું છે કે થિવિશાત્ શા ઘર્મસાધન સંસ્થિતિ: . શાસ્ત્રમાં અધિકાર પ્રમાણે ધર્મસાધના કરવાની સ્થિતિ કહી છે.
શ્રાવકો ગૃહજીવન જીવે છે. તેઓ ધન કમાય છે. એટલે એમને માટે “ન્યાયસંપન્ન વૈભવ” એ માર્ગાનુસારીના ૩૫ ગુણમાંનો પહેલો ગુણ છે. સાચા શ્રાવકમાં આ ૩૫ ગુણો હોવા જોઇએ. એટલે શાસ્ત્ર પ્રમાણે દેશવિરતિધર શ્રાવકનું જીવન જીવનાર જો વીતરાગ ભગવાનની પૂજાભક્તિ કરે તો તે પણ વિવેકપૂર્વક અને જયણાપૂર્વક કરે છે. એની એ પૂજાભક્તિને બ્રહ્મયજ્ઞ કહી શકાય. દેશવિરતિધર શ્રાવકનો બ્રહ્મયજ્ઞ અને સર્વવિરતિધર મુનિનો બ્રહ્મયજ્ઞ એ બંને જુદા જુદા છે. આત્માના જ્ઞાયક સ્વભાવમાં રમણતા એ મુનિને માટે બ્રહ્મયજ્ઞ છે.
શ્રાવકને માટે જિનપૂજા આસવરૂપ હોય તો પણ તે પ્રશસ્ત આસવ છે અને અમુક ભૂમિકા સુધી પ્રશસ્ત આસવનો શાસ્ત્રકારોએ નિષેધ કર્યો નથી. “પંચવસ્તુમાં કહ્યું છેઃ
अकसिण पवत्तयाणं विरयाविरयाण एस खलुजुतो।
संसारपयणुकरणो दव्वत्थए कूवदिटुंतो॥ [દેશવિરતિ સંયમમાં પ્રવૃત્તિ કરનારા શ્રાવકોને સંસારને અલ્પ કરનાર દ્રવ્યસ્તવ ફૂપના દૃષ્ટાન્ત યુક્ત છે.]
અહીં કૂવાનું યોગ્ય દૃષ્ટાન્ત આપવામાં આવ્યું છે. કુવો ખોદતી વખતે પરિશ્રમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org