________________
૨૮. નિયાગાષ્ટક
૩૭૭
પડે છે, થાક લાગે છે, તરસ લાગે છે, કૂવાની માટીથી શરીર મેલું થાય છે. કપડાં ધૂપવાળાં થાય છે. પરંતુ પાણી નીકળ્યા પછી તરસ છીપે છે. એ પાણીથી સ્નાન કરી શકાય છે જેથી શરીર સ્વચ્છ થાય છે અને થાક ઊતરી જાય છે. વળી એ પાણીથી કપડાં ધોઈ શકાય છે. આ બધો લાભ કાયમને માટે મળે છે. કૂવો ખોદવાના પરિશ્રમમાં અલ્પકાળ માટે મલિનતા છે, પણ પછી કાયમને માટે ઘણા બધા સારા લાભો થાય છે. ગૃહસ્થો જે દ્રવ્યપૂજા કરે છે તેને આ કૂવાના દષ્ટાન્તની જેમ સમજવાનું છે.
વેદાંતીઓ જો એમ કહે કે અમારા યજ્ઞમાં પશુઓની હિંસારૂપી સાવદ્ય વ્યાપાર હોવાથી એને બ્રહ્મયજ્ઞ ન કહેવાય એમ તમે કહો છો, તો પછી તમારા શ્રાવકો જિનેશ્વર ભગવાનની પૂજા કરતી વખતે જળ, ચંદન, પુષ્પ વગેરેથી પૂજા કરે છે. એમાં હિંસા રહેલી હોવાથી એ પણ સાવદ્ય વ્યાપાર છે. માટે તમે એને બ્રહ્મયજ્ઞ ન કહી શકો. એના ઉત્તરમાં કહેવાયું છે કે ગૃહસ્થો જિનેશ્વર ભગવાનની જે પૂજા કરે છે તે નિયમ પ્રમાણે ભૌતિક સુખો મેળવવા માટે નથી કરતા, પરંતુ ભાવથી જયણાપૂર્વક કરે છે અને તે પરંપરાએ લોકોત્તર ફળ મેળવવા માટે કરે છે. માટે એને બ્રહ્મયજ્ઞ કહી શકાય. (વ્યક્તિગત રીતે કોઈ ખોટી રીતે પૂજા કરતું હોય તો તે વાત જુદી છે.) [૨૨૧] fમોશેન વિહિત કર્મ કર્મક્ષયાનમ્ |
क्लुप्तभिन्नाधिकारं च पुढेष्ट्यादिवदिष्यताम् ।।२८।।५।। [શબ્દાર્થ મિત્રોન=ભિન્ન ઉદ્દેશથી; વિદિતંત્રશાસ્ત્રમાં કહેલું, કર્મઅનુષ્ઠાન;
ર્મક્ષ =કર્મક્ષય કરવામાં; અક્ષમ અક્ષમ, અસમર્થ; હતૃપ્ત કલ્પેલો; મિત્રાધિ રં=જેનો ભિન્ન અધિકાર છે; =અને; પુત્રેશ્યાતિવ=પુત્રપ્રાપ્તિ માટેના યજ્ઞ વગેરેની જેમ; pષ્યતા=જાણો, માનો.]
અનુવાદઃ ભિન્ન ઉદ્દેશથી ઉપદેશેલું કર્મ (અનુષ્ઠાન) કર્મનો ક્ષય કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org