________________
૩૭૮
જ્ઞાનસાર
અસમર્થ છે. કલ્પેલો છે ભિન્ન અધિકાર જેનો એવા પુત્રેષ્ટિ (પુત્રપ્રાપ્તિ માટે) યજ્ઞ વગેરેની જેમ જાણવું. (૫)
વિશેષાર્થ ઉપાધ્યાયજી મહારાજે પ્રાચીન કાળમાં થતા યજ્ઞોને લક્ષમાં રાખીને, તત્ત્વની દષ્ટિએ એક મહત્ત્વનો ખુલાસો અહીં કર્યો છે. હિંદુઓમાં ઠેઠ વેદકાળથી યજ્ઞો થતા રહ્યા છે. કેટલાક હિંસક યજ્ઞોમાં તો હરણ, ઘેટાં, બકરાં, પાડા વગેરે પશુને હોમવામાં આવતાં. એની ક્રિયાવિધિમાં જે પ્રમાણે લખવામાં આવ્યું હોય તે પ્રમાણે યજ્ઞ કરાવનાર, જનસમુદાયની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવતા. જેમાં પ્રાણીઓની હિંસા ન હોય એવા યજ્ઞો પણ થતા. આવા કેટલાક યજ્ઞો જેનોમાં પણ આવ્યા. માણસને કામનાઓ અનેક હોય છે. એ માટે તે યજ્ઞ કરાવે છે. ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, લગ્ન, વિજ્ઞહરણ ઇત્યાદિ માટે પણ યજ્ઞો થતા આવ્યા છે. જેમાં પશુઓનો બલિ ચડાવવામાં આવતો નથી. જેનોમાં યજ્ઞની જગ્યાએ અનુષ્ઠાનો, પૂજનો વગેરે આવ્યાં. એમાં માણસ જે યજ્ઞ કે અનુષ્ઠાન જે હેતુ માટે કરે તે ફળ એને મળે. કોઈ વાર ન પણ મળે.) બીજા પ્રકારનું ફળ એને મળે નહિ. માણસ પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કરાવે અને પછી ધનપ્રાપ્તિની ઇચ્છા રાખે તો તે તેને મળે નહિ.
આ જ રીતે માણસ પુણ્યના હેતુ માટે ધર્મક્રિયા કરે અને પછી ફળ તરીકે કર્મક્ષયની અપેક્ષા રાખે તો તે પ્રમાણે ફળ મળે નહિ. દયા, દાન , પ્રભુભક્તિ, વગેરે કેટલીક ધર્મક્રિયાઓથી પુણ્યોપાર્જન થાય છે. આવી ધર્મક્રિયાઓ શાસ્ત્રવિહિત હોય છે. અમુક કક્ષાના જીવો તે પ્રમાણે કરે તો તેમાં કશું અયોગ્ય નથી, કારણ કે પુણ્ય એકાત્તે હેય નથી. પણ એવી ક્રિયા કરીને કર્મક્ષયની કે મોક્ષપ્રાપ્તિની અભિલાષા કોઈ રાખે તો તે અયોગ્ય છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે બાળજીવોને પુણ્યોપાર્જન અર્થે ધર્મક્રિયા કરતાં અટકાવવા નહિ, કારણ કે આત્માના ત્રણ ઉપયોગ છે, શુદ્ધ, શુભ અને અશુભ, શુદ્ધ ઉપયોગમાં અન્તર્મુહૂર્ત જેટલો કાળ પણ સ્થિર રહી શકાતું નથી.એટલે આત્મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org