________________
૨૮. નિયાગાષ્ટક
૩૭૯
શુભ કે અશુભ ઉપયોગમાં ચાલ્યો જાય છે. એમાં જો તેને શુભમાં જતો અટકાવવામાં આવે તો તે વગર કહ્યું અશુભમાં જ ચાલ્યો જવાનો. એટલે એવા બાળજીવોને સમજાવવાની જરૂર છે કે આગળ જતાં સોનાની બંડીરૂપ પુણ્ય પણ છોડીને શુદ્ધોપયોગમાં રહી, કર્મક્ષય કરી મુક્તિ મેળવવાની છે. [૨૨] બ્રહ્માર્પણમપિ બ્રહાયજ્ઞાન્તર્યાવસાધનમ્ |
ब्रह्माग्नौ कर्मणो युक्तं स्वकृतत्वस्मये हुते ।।२८।।६।। શબ્દાર્થ વૃ પિ =બ્રહ્મને અર્પણ કરવું તે પણ; બ્રહાયજ્ઞ=બ્રહ્મયજ્ઞમાં; અન્તર્યાવસાયન અંતર્ભાવનું સાધન; બ્રહ્માની=બ્રહ્મરૂપી અગ્નિમાં; ર્મળ:=કર્મનો; યુવતંત્રયુક્ત છે; સ્વતંત્વ=પોતાના કૃતપણાનું, કર્તાપણાનું; =અભિમાનને; દુતે હોમવાથી.]
અનુવાદઃ બ્રહ્મયજ્ઞના અન્તર્ભાવનું સાધન (કારણ), પોતાના કર્તાપણાના અહંકારને બ્રહ્માનિમાં હોમવારૂપ કર્મનું બ્રહ્માર્પણ પણ યુક્ત છે. (૬)
વિશેષાર્થ બ્રહ્માર્પણ એટલે બ્રહ્મને અર્પણ કરવું. બ્રહ્મ એટલે પરમાત્મા. પોતાનાં કર્મરૂપીયજ્ઞનો બ્રહ્મયજ્ઞમાં અંતર્ભાવ કરવો એટલે બ્રહ્માર્પણ કરવું કહેવાય. મનુષ્ય કોઈપણ કાર્ય કરે ત્યારે એનામાં “આ મેં કર્યું એવો કર્તાપણાનો અહંકાર આવે છે. પરંતુ એ જો ખરેખર અંતરની શ્રદ્ધાથી એમ માને કે મેં કંઈ જ કર્યું નથી. બધું પરમાત્માએ કર્યું છે. તો એના કર્મયજ્ઞનું બ્રહ્મયજ્ઞમાં અર્પણ થાય છે. માણસની આ શ્રદ્ધા બધાં જ કાર્યો માટે અને હંમેશને માટે રહે તો જ સાચું બ્રહ્માર્પણ કહેવાય.
સામાન્ય માણસો પોતે જે કંઈ કાર્ય કરે તેમાં તેમના કર્મના કર્તાપણાનું અભિમાન આવે છે. પરંતુ જે બુદ્ધિમાન છે, જ્ઞાની છે તે તો પોતાનું કર્તુત્વરૂપી અભિમાન છોડીને આત્મજ્ઞાનરૂપી અગ્નિમાં પોતાનાં કર્મોને હોમે છે. આ જ ઉત્તમ બ્રહ્માર્પણ છે.
શ્રી ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક ઉપર પોતે લખેલી ટીકામાં, શ્રીમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org