SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૭ ૨ જ્ઞાનસાર પ્રિય વસ્તુઓની આહુતિ અપાય છે. એમાંથી હિંસક યજ્ઞો શરૂ થયા. વેદોમાં યજ્ઞોનું નિરૂપણ છે અને બ્રાહ્મણગ્રંથોમાં એનાં વિધિવિધાન છે. કેટલાક વિધર્મીઓ યજ્ઞમાં જીવતાં પશુઓને હોમે છે. કેટલાક યજ્ઞમાં સમિધ એટલે વિશિષ્ટ પ્રકારનાં અને માપનાં લાકડાના ટુકડા તથા અનાજના દાણા હોમાય છે. યજ્ઞની વિધિ સાથે વેદની ઋચાઓ બોલાય છે. વૈદિક વિધિમાં યજ્ઞો હિંસક પ્રકારના રહ્યા છે. દુશ્મનને મારવા માટે કે વેરનો બદલો લેવા માટે યજ્ઞો થાય છે. ભગવાન મહાવીરે આવા પશુબલિવાળા હિંસક યજ્ઞોનો જબરજસ્ત વિરોધ કર્યો. પરંતુ લોકો જો યજ્ઞો કરતા જ રહેવાના હોય તો સારો રસ્તો એ છે યજ્ઞો રાખવા, પણ એનું સ્વરૂપ બદલી કાઢવું. યજ્ઞોને અહિંસક બનાવવા અને મોક્ષના ધ્યેયવાળા બનાવવા. એટલા માટે એને રૂપકનું સ્વરૂપ આપવામાં આવ્યું. એને ‘ભાવયજ્ઞ' બનાવી દેવામાં આવ્યો. “ઉત્તરાધ્યયનસૂત્ર'ના “યજ્ઞીય અધ્યયનમાં કહ્યું છેઃ सुसंवुडा पंचहिं संवरेहिं इह जीवियं अणवकंखमाण।। वोसटुकाया सुइचत्तदेहा महाजयं जयइ जन्नसेढें ॥ [પાંચ સંવરથી સુસંસ્કૃત, જીવિત પ્રત્યે આકાંક્ષા રહિત, શરીર પ્રત્યે મમતા વિનાના, પવિત્ર, દેહાભ્યાસના ત્યાગી, એવા મુનિવરો જય કરનાર એવો શ્રેષ્ઠ યજ્ઞ કરે છે.] ભાવયજ્ઞ એટલે કે નિયાગના આ સ્વરૂપને સમજાવવા માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ के ते जोई के व ते जोइठाणा का ते सूया किं व ते कारिसंगं । ___ एहा य ते कयरा सं ति भिक्खु, कयेरण होमेण हुणासि जोइं॥ હિં ભિક્ષુ ! તમારે અગ્નિ કયો છે ? અગ્નિનું સ્થાન કયું છે ? ઘી નાખવાની કડછી કઈ છે ? અગ્નિ પ્રગટાવનારું શું છે ? તમારે લાકડાં ક્યાં છે ? વિઘ્ન દૂર કરનાર શાન્તિપાઠ કયો છે ? અને કેવા પ્રકારના હોમથી તમે યજ્ઞ કરો છો ?]. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy