________________
૨૮. નિયાગાષ્ટક
૩૭૧
૨૮. નિયાગાષ્ટક [૧૭] : લઘુતવી રીતે બ્રહ્માની ધ્યાનધાવ્યા
સનિશ્ચિન યાન નિયાપ્રતિપત્તિમાન્ ૨૮ાારા [શબ્દાર્થ : જે, જેણે; વર્મ-કર્મને; દુવાનહોમ્યાં છે; વીતે=પ્રદીપ્ત કરેલા; બ્રહીમની=બ્રહ્મરૂપી અગ્નિમાં; ધ્યાનધાયા–ધ્યાનરૂપી ધાયા અર્થાત્ સમિધિ વડે એટલે વેદની ઋચા વડે; સ=0; નિશિતેન=નિશ્ચિતતાથી, નિર્ધારિત રીતે; યાન યજ્ઞ (ભાવયજ્ઞ) વડે; નિયા=ભાવયજ્ઞ, પ્રતિપત્તિમા =પ્રાપ્ત થયેલા છે.]
અનુવાદઃ જેણે પ્રદીપ્ત બ્રહ્મરૂપી અગ્નિમાં ધ્યાનરૂપી વેદની ચા વડે કર્મને હોમ્યાં છે તે મુનિ યજ્ઞ વડે (ભાવયજ્ઞથી) નિશ્ચિતતાથી નિયાગ (યક્ષ)ને પ્રાપ્ત થયેલા છે. (૧) | વિશેષાર્થ : યાગ એટલે યજ્ઞ, હોમ, હવન. નિયાગ એટલે નિશ્ચિત અથવા નિર્ધારિત યજ્ઞ. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં હજારો વર્ષથી યજ્ઞની પ્રથા ચાલી આવે છે. કૌટુમ્બિક કક્ષાએ, સામાજિક કક્ષાએ અને રાજકીય કક્ષાએ યજ્ઞો થતા રહ્યા છે. રાજાઓ અશ્વમેઘ યજ્ઞ કરાવતા. વેદોમાં વિવિધ પ્રકારના યજ્ઞોના ઉલ્લેખ છે. કેટલાક યજ્ઞો આજ્ઞાકારી હોય છે. દુકાળ, અતિવૃષ્ટિ, મરકી વગેરે રોગો, કુદરતી આપત્તિઓ, યુદ્ધો વગેરે વખતે યજ્ઞો કરવાની પ્રથા છે. સમાજમાં મોટા ઉત્સવો કે એવા બીજા પ્રસંગે પણ યજ્ઞ કરાય છે. કૌટુંબિક કક્ષાએ ઘનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, વિદ્ગનિવારણ ઇત્યાદિ ઇચ્છાપૂર્તિના પ્રયોજનથી પણ હોમ-હવન
થાય છે.
અગ્નિને સૂર્યના પ્રતીકરૂપ માનવામાં આવે છે. એને પ્રસન્ન કરવા માટે પોતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org