________________
૩૭૦
જ્ઞાનસાર
વૃદ્ધિ થશે. એટલે આજ સુધી જળવાયેલી જે ચુસ્ત પરંપરા છે તે જ યોગ્ય છે.
કેટલાક એવો ભ્રમ સેવે છે કે જો સૂત્રદાનના વિષયમાં બહુ કડક રહીશું તો ક્રમે ક્રમે એવો વખત આવશે કે આગળ જતાં આગમો ભણનાર કોઈ નહિ હોય અને આગમો ભણાવનાર પણ કોઈ નહિ હોય. એમ થશે તો આગમોનો જ વિચ્છેદ થઈ જશે એટલે કે તીર્થનો વિચ્છેદ થશે.
બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે જો ખોટા અર્થ અને ખોટા ઉચ્ચાર ચલાવી લેવામાં આવશે તો અનુક્રમે એવો વખત આવશે કે જ્યારે કોઈ સૂત્રો સાચી રીતે ભણનાર નહિ હોય કે ભણાવનાર પણ કોઈ નહિ હોય. તો એ રીતે પણ સૂત્રોનો વિચ્છેદ થશે.
આ બે સ્થિતિમાં શ્રી હરિભદ્રસૂરિજી વગેરે પૂર્વાચાર્યોએ એવો ઉત્તર આપ્યો છે કે તીર્થનો વિચ્છેદ ભલે થાય, પણ સૂત્રદાન યોગ્ય પાત્રને જ આપવું.
પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે આ શ્લોક પરની પોતાની ટીકામાં લખ્યું છેઃ “સૂત્રોક્ત ક્રિયાનો વિચ્છેદ થાય એ જ તીર્થનો ઉચ્છેદ છે, કારણ કે આજ્ઞારહિત જનનો સમુદાય તે તીર્થ નથી, પણ શાસ્ત્રવિહિત ઉચિત ક્રિયાવિશિષ્ટ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાનો ઉચ્છેદ થવાથી પરમાર્થથી તીર્થનો ઉચ્છેદ થાય છે.”
શાસ્ત્રવિહિત ક્રિયાનો લોપ કરવો એ કડવાં ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને પોતે મારેલામાં વિશેષતા નથી એમ નથી. પરંતુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાનો દુષ્ટાશય નિમિત્તરૂપ નથી અને પોતે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વયં ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પણ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રોતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થઉચ્છેદના ભીરુએ (ભયથી) વિચાર કરવા યોગ્ય છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org