SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. યોગાષ્ટક [૧૬] થાનીયોગિનતીર્થોચ્છવાદ્યાનના सूत्रदाने महादोषः इत्याचार्याः प्रचक्षते ।।२७।।८।। [શબ્દાર્થ : થાનાદિ=સ્થાનાદિ; મોનિ=આયોગીને, યોગરહિતને; તીર્થોઝેવિ=તીર્થનો ઉચ્છેદ થાય ઇત્યાદિ કાર્તવનાનિ=આલંબનથી; પિકપણ; સૂત્રવાને સૂત્રો (ચેત્યવંદનાદિ સૂત્રો) શીખવવામાં; મહાવોષ:=મોટો દોષ, તિ એ પ્રમાણે; મારા =આચાર્યો; પ્રવક્ષતે કહે છે.] અનુવાદઃ સ્થાનાદિ યોગથી રહિતને તીર્થનો ઉચ્છેદ થશે એવા કારણે પણ સૂત્રદાન કરવામાં (સૂત્રો ભણાવવામાં મહાદોષ થાય છે એમ આચાર્યો કહે છે. (૮) વિશેષાર્થ ? આપણી ગુરુપરંપરા અઢી હજાર વર્ષની અવિચ્છિન્ન ચાલી આવે છે, કારણ કે ગુરુ ભગવંતો પોતાના શિષ્યોને સારી રીતે શાસ્ત્રાભ્યાસ કરાવે છે અને સાધ્વાચારનું પાલન પણ એટલી જ ચુસ્ત રીતે કરાવે છે. ક્યાંક કોઇક શિથિલતાના કિસ્સા નથી બનતા એવું નથી, પણ એકંદરે તો ગુરુ ભગવંત અત્યંત વાત્સલ્યભાવથી શિષ્યોને સારી રીતે ઘડે છે. એક પ્રશ્ન ઊભો થાય છે કે ગુરુ ભગવંત શિષ્યોને આગમસૂત્રોનો અભ્યાસ કરાવે છે એમાં સ્થાન, વર્ણ, અર્થ વગેરે અંગો જો બરાબર ન સચવાય તો પણ તેવા શિષ્યોને સૂત્રદાન કરવું? કે ન કરવું ? એટલે કે શાસ્ત્રાભ્યાસ કરાવવો ? કે ન કરાવવો ? આમાં સૂત્રદાન આપનારની યોગ્યતા હોવી જોઈએ. અને સૂત્રદાન લેનારની પણ યોગ્યતા હોવી જોઈએ. જો સૂત્રદાન આપનારની યોગ્યતા નહિ હોય તો સૂત્રદાનમાં કચાશ રહી જશે અને એ રીતે ખોટી પરંપરા ઊભી થશે. એવી જ રીતે જો સૂત્રદાન લેનારની યોગ્યતા નહિ હોય તો ખોટા અર્થ થશે અને એ સૂત્રદાન લેનાર જ્યારે આગળ જતાં પોતાના શિષ્યોને સૂત્રદાન આપશે તો એમાં અશુદ્ધિની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy