________________
૧૭. નિર્ભયાષ્ટક
૨ ૩૯
[શબ્દાર્થ =કર્યું છે; મોદીસૈ=મોહરૂપી અસ્ત્ર; વૈhત્યં વિફળતા,નિષ્ફળપણું; જ્ઞાનવર્મ=જ્ઞાનરૂપી બખ્તર; વિર્તિ=ધારણ કરે છે; ય =જે; તે ક્યાંથી હોય; વા=અને/અથવા; મં:=પરાજય; “સંપર=કર્મના સંગ્રામની, ત્રિપુત્રક્રીડામાં.] મી =ભય
અનુવાદ-કર્મરૂપી સંગ્રામની ક્રીડામાં મોહરૂપી શસ્ત્રને નિષ્ફળ કરનાર જ્ઞાનરૂપી બખ્તર જે ધારણ કરે છે તેને ક્યાંથી ભય હોય અથવા પરાજય ક્યાંથી હોય? (૬)
વિશેષાર્થ : મુનિની નિર્ભયતા દર્શાવવા માટે અહીં યુદ્ધનું રૂપક યોજવામાં આવ્યું છે.
આ યુદ્ધ કર્મ સાથેનું છે. આઠ પ્રકારનાં કર્મોમાં ચાર ભારે ઘાતી કર્મો છે અને ચાર અઘાતી કર્મો છે. ઘાતી કર્મોમાં સૌથી બળવાન તે મોહનીય કર્મ છે. મોહનીય કર્મની સેનાના બે ભાગ છે-દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીય સાથેનું યુદ્ધ એ છેલ્લું યુદ્ધ છે.
મોટા મોટા મુનિવરો અહીં પરાજિત થઈ જાય છે. પરંતુ જો મુનિવરે જ્ઞાનરૂપી મજબૂત બખ્તર છાતીએ પહેર્યું હોય તો ગમે તેવા તીક્ષ્ણ બાણ, ભાલા કે તલવાર બખ્તર ભેદીને છાતીના મર્મ ભાગ સુધી પહોંચી ન શકે. મોહરાજા પાસે પોતાના ભાથામાં વિવિધ બાણો છે. એમાં સૌથી વધુ તીક્ષ્ણ અને મર્મભેદી બાણ તે કામરાગનું એટલે કે વિષયવાસનાનું છે. તદુપરાંત એમાં સર્વ પ્રકારના કષાયો અને નોકષાયો પણ છે. પરંતુ જે મુનિઓએ જ્ઞાનરૂપી બખ્તર પહેર્યું હોય છે તેઓ પોતે પરાજિત નથી થતા. તેઓ મોહરાજાને પરાજિત કરે છે. જેઓ મોહરાજાને પરાજિત કરે તે મુનિઓ પોતે યુદ્ધમાં કેટલા નિર્ભય હોય ! [૧૩૫] તૂનવનધવ મૂઠા પ્રમ7 જયનિતૈ: |
નૈરોમાપિ તૈનારિષ્ઠાનાં તુ કેમ્પને ll ૨૭ II 9 || [શબ્દાર્થ તૂનવ–આકડાના રૂની જેમ; નયવ: હલકા; મૂઠા: =મૂઢ, અવિવેકી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org