________________
૨ ૪૦
જ્ઞાનસાર
ઓછી બુદ્ધિવાળા પ્રમન્તિ=ભમે છે; =આકાશમાં, મથાનિ=ભયરૂપી વાયુ વડે; ન=નથી; પí=એક રોમાપિન્નરોમ+પ રૂંવાડું પણ; તૈ:=તેના વડે; જ્ઞાનારિષ્ઠાન =જ્ઞાનગરિષ્ઠોનું, જ્ઞાન વડે ભારે એવા પુરુષોનું, તુ=પણ; પૂતે કંપે છે, ફરકે છે.]
અનુવાદભયરૂપી વાયુ વડે આકડાના રૂની જેમ હલકા મૂઢ પુરુષો આકાશમાં ભમે છે, પરંતુ જ્ઞાન વડે ભારે એવા પુરુષોનું રૂંવાડું પણ ફરકતું નથી. (૭)
વિશેષાર્થ અજ્ઞાની અને જ્ઞાની વચ્ચેનો ફરક અહીં બીજા એક ઉદાહરણ વડે સમજાવવામાં આવ્યો છે. અજ્ઞાની ભયવાન છે અને જ્ઞાની નિર્ભય છે. અજ્ઞાની તુચ્છ છે, હલકો છે એટલે એની સરખામણી આકડાના હલકા રૂ સાથે કરવામાં આવે છે. આકડાનું રૂ જોરદાર પવનમાં આમતેમ ઊડે છે અને છેવટે નાશ પામે છે. રૂ હલકું છે અને શક્તિહીન છે. પવનની સામે તે ઝઝૂમી શકતું નથી. તે વિવશ બનીને નાશ પામે છે.
મુનિ આત્મસ્વરૂપના જ્ઞાનથી ભારે છે એટલે પવન તેમને ઉડાડી શકતો નથી, એટલું જ નહિ તેમનું એક રૂંવાડું ફરકાવી શકતાં નથી, એટલે કે તેમના એક અધ્યવસાયને પણ બદલાવી શકતો નથી.
જ્ઞાની સદા નિસ્પૃહ હોય છે. કોઈની પાસેથી કશું જ એમને જોઈતું નથી. એટલે એ માટે એમને કોઇની ગરજ નથી અને કોઇથી ડરવાનું હોતું નથી. અજ્ઞાનીને અનેક પ્રકારનાં ભૌતિક સુખોની આકાંક્ષા રહે છે. તેઓને ઘણાંની ગરજ રહે છે. એટલા માટે તેઓ અહીંતહીં ભટકતા રહે છે અને ફૂટબોલની જેમ લાતો ખાતા રહે છે, ઊંચે ઊછળે છે અને નીચે પટકાય છે. [૧૩૬] વિત્તે પરિપતિં યસ્થ વારિત્રમજુતમયમ્ |
अखण्डज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।। १७ ।।८।। [શબ્દાર્થ વિરે=ચિત્તમાં; પરિણતંત્રપરિણમેલું; યક્ષે=જેના; વારિä=ચારિત્ર;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org