SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. નિર્ભયાષ્ટક ૨ ૪૧ મતમયમ જેને કોઇથી ભય નથી એવું; મરવંડજ્ઞાન{/m=અખંડ જ્ઞાનરૂપી રાજ્યવાળા; તસ્ય તે; સાથો:=સાધુને; ત =ક્યાંથી; મયંકભય હોય.] અનુવાદ-જેનાથી કોઇને ભય નથી (અથવા જેને કોઇથી ભય નથી) એવું ચારિત્ર જેના ચિત્તમાં પરિણમેલું છે એવા અખંડ જ્ઞાનરૂપ રાજ્યવાળા સાધુને કોનાથી ભય હોય ? (૮) વિશેષાર્થ અહીં મુનિ ભગવંતની સાધનાની બે મહત્ત્વની વાત કરવામાં આવી છેઃ (૧) નિર્ભય ચારિત્ર અને (૨) અખંડ જ્ઞાનરૂપ રાજ્ય. સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રયીથી મોક્ષ છે. દર્શન અને જ્ઞાનને એકરૂપ ગણીને જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ છે એમ પણ કહેવામાં આવે છે. જ્યાં મોક્ષ અપાવે એવી જ્ઞાન અને ક્રિયાની (અર્થાત્ ચારિત્રની) સાધના જે મુનિમાં પરિણમેલી હોય અને પછી ક્યારેય કોઇના તરફથી ભય ન હોઈ શકે. એવા મુનિ મહાત્માઓ અહોરાત્ર નિર્ભય હોય છે. તેઓ ક્યારેય અસ્વસ્થ નથી હોતા. આ સંદર્ભમાં શ્લોકની ટીકામાં “પ્રથમરતિ' ગ્રંથમાંથી નીચેનો શ્લોક ટાંકવામાં આવ્યો છેઃ आचाराध्ययनोक्तार्थभावनाचरणगुप्तहृदयस्य । न तदस्ति कालविवरं यत्र क्वचनाभिभवनं स्यात् ।। [આચારાંગના અધ્યયનમાં કહેલા અર્થની ભાવના અને ચારિત્રથી જેનું મન સુરક્ષિત છે, તેને એવું કાળરૂપ છિદ્ર નથી કે જ્યાં તેનો ક્યાંય પણ પરાભવ થાય.] આમ, જે નિર્ચન્થ મુનિઓએ જ્ઞાન, ધ્યાન, તપશ્ચર્યા ઇત્યાદિ દ્વારા કષાયો-નોકષાયોને જીત્યા છે અને જેમણે સ્વરૂપ-સ્થિરતારૂપ ચારિત્રનું પાલન કર્યું છે, જેઓ સર્વથા નિરીહ છે એવા મુનિઓએ ભયને પણ જીતી લીધો છે, એટલે કે તેઓ નિર્ભય થયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005473
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2006
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy