________________
૨૩૮
જ્ઞાનસાર
અનુવાદ-જો મનરૂપી વનમાં આત્મજ્ઞાનની દૃષ્ટિરૂપી મયૂરી વિચરે છે તો આનંદરૂપી ચંદનના વૃક્ષમાં ભયરૂપી સર્પોનું વીંટાવું હોતું નથી. (૫)
વિશેષાર્થ : જ્ઞાની હંમેશાં નિર્ભય હોય છે. એમની પાસે ભય આવતો નથી કે આવી શકતો નથી એટલું જ નહિ તેઓ જ્યાં જાય ત્યાં નિર્ભયતાનું વાતાવરણ સર્જાય છે. એમ થવાનું કારણ એમની પાસેની નિર્મળ જ્ઞાનદૃષ્ટિ છે.
આ સમજાવવા માટે અહીં ઉપવન, બાવનાચંદન, મયૂરી અને સર્પનું રૂપક પ્રયોજવામાં આવ્યું છે. રૂપક નીચે પ્રમાણે છેઃ મયુરી-જ્ઞાનદૃષ્ટિ; ઉપવન-મન; સર્પ-ભય અને આનંદ-બાવનાચંદનનું વૃક્ષ.
સાપ પોતે પણ ભયંકર પ્રાણી છે. એ કરડે તો માણસ કે પશુનું તત્કાળ મૃત્યુ થાય છે. પરંતુ આવા ભયંકર સર્પને નોળિયો, મોર, સમડી વગેરેનો ભય હોય છે. તેઓ સાપને મારી નાખે છે. સાપને ચંદનના વૃક્ષની સુગંધ અત્યંત પ્રિય હોય છે. એમાં પણ મઘમઘતા બાવના ચંદનનું વૃક્ષ હોય તો તેઓ તેને વીંટળાઇને રહે છે. ક્યારેક ચંદનના એક વૃક્ષ ઉપર ઘણા સર્પો હોય છે. પરંતુ એ જ વન કે ઉપવનમાં જો મોર અથવા ઢેલ (મયુરી) હોય તો બધા સાપ ત્યાંથી ભાગી જાય છે.
મયૂરી એટલે જ્ઞાનદૃષ્ટિ. ચિત્તરૂપી ઉપવનમાં જો મયૂરીરૂપી જ્ઞાનદષ્ટિ હોય તો સર્પરૂપી ભય ચાલ્યો જાય છે અને ચંદનરૂપી આનંદ પ્રસરે છે.
જ્ઞાનદૃષ્ટિ એટલે સ્વભાવ અને પરભાવનો વિવેક કરનારી દૃષ્ટિ. જ્ઞાનદૃષ્ટિ એટલે સ્વભાવમાં રમણ કરનારી દૃષ્ટિ. જ્યાં આવી રમણતા હોય ત્યાં પરપદાર્થની અપેક્ષા કે ઉત્સુકતા ન હોય. પરપદાર્થની અપેક્ષા ન હોય તો પછી એના નાશનો, ખુદ પોતાના દેહના નાશનો પણ એને ભય નથી હોતો. ત્યાં નરી નિર્ભયતા જ વર્તે છે. ત્યાં શુભાશુભ કર્મોનો પણ ભય નથી હોતો. એ દશા કેવળ જ્ઞાનમય અર્થાત્ આનંદમય હોય છે. [૧૩૪] મોહબ્રવૈવચું જ્ઞાનવર્ષ વિમતિ : /
વવ મીસ્વસ્થ વવવા મ: વાર્મસંકરિવેનિy II ૨૭ II ૬ II.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org